TRAIએ કહ્યું છે કે જે પણ નવી ફી આદેશ અને નિયામકીય વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા મળી આવશે, એમને એનું વળતર ચુકવવું પડશે.
નવા નિયમોનું પાલન ના કરનાર કેબલ ટીવી અને ડીટીએચ સેવા આપનાર કંપનીઓને ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ સોમવારે ચેતવણી આપી છે. ટ્રાઇએ કહ્યું કે જે પણ નવી ફી આદેશ અને નિયામકીય વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા પકડાશે, એને એનું વળતર ચુકવવું પડશે.
ટ્રાઇ એ કંપનીઓના મામલામાં જલ્દીથી ગ્રાહકો માટે સેવા પ્રબંધન અને અન્ય આઇટી પ્રણાલીનું ઑડિટ પણ શરૂ કરશે, જે નિયામકીય વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એને લઇને ચેરમેન આર.એસ.શર્માએ કહ્યું કે ગ્રાહકોની રુચિ અને હિત સર્વોપરિ છે અને એનાથી કોઇ સમજૂતી કરી શકાય નહીં. જે પણ કંપની નિયમોનું પાલન કરી રહી નથી એને એનું પરિણામ ચુકવવું પડશે.
એમને આગળ કહ્યું કે ગ્રાહક જો ચેનલ પેકેજ સિલેક્ટ કરે છે, તો ઠીક છે પરંતુ કઇ ચેનલ જોવી છે, એ વિકલ્પ ગ્રાહકોની પાસે છે અને એમને એની સુવિધા મળવી જોઇએ. જો કંપની ગ્રાહકોને એમના રસ પ્રમાણે ચેનલ સિલેક્ટની પરવાનગી આપતી નથી ત્યારે આ નિયમોનું ઉલ્લંઘન થશે. અમે એ ચીજોને ગંભીરતાથી લીધી છે અને વિતરકોને કારણ બતાવો નોટીસ આપી છે.