ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દેશમાં મોબાઇલ નંબર સ્કીમ બદલવાનો વિચાર કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ અંગે એક નિર્ણય મોબાઇલ નંબરમાં ડિજિટ્સ વધારો કરવાનો પણ હોય શકે છે. આ રીતે મોબાઇલ નંબર 10 ની જગ્યાએ 11 ડિજિટ્સના કરવામાં આવશે. જેની પાછળ મોટું કારણ ટેલિકૉમ કનેકશન્સમાં વધારો હોવાનું માનવામાં આવે છે. કેટલીક બાબતો અંગે તમારે જાણવુ જોઇએ.
આ છે કારણ:
કરોડો મોબાઇલ યૂઝર્સ દેશમાં ટેલિફોન નંબર્સની વધતી જરૂરિયાત માટે જવાબદાર છે અને ઑપરેટર્સને હવે નવા મોબાઇલ નંબર પણ જોઇએ છે.
TRAI એ આ સંદર્ભમાં એક ડિસ્કશન લેટર જાહેર કર્યો છે, જેનું ટાઇટલ 'એકીકૃત અંક યોજનાનો વિકાસ' છે. આ યોજના મોબાઈલ અને સ્થિર (લેન્ડલાઈન) બંને પ્રકારની લાઈન માટે છે.
TRAI એ ડિસ્ક્શન પત્રમાં જણાવ્યુ કે, જો એવુ માની લઇએ કે, ભારતમાં 2050 સુધી વાયરલેસ ફોન 200 % થાય ( એટલે કે દરેક વ્યક્તિની પાસે સરેરાશ બે મોબાઈલ ક્નેક્શન છે) તો આ દેશમાં એક્ટિવ મોબાઈલ ફોનની સંખ્યા 3.28 અબજ સુધી પહોંચી જશે. આ સમય દેશમાં 1.2 અબજ ફોન કનેક્શન છે.
- દેશમાં 2050 સુધી હાલના નંબર ઉપરાતં 260 કરોડ નવા નંબરની પણ જરૂર પડવાની છે. આ પહેલા ભારતે પોતાની નંબરિગ સિસ્ટમ અને પ્લાન્સને આ પહેલા 1993 અને 2003માં પહેલા 2 વખત બદલ્યા હતા. વર્ષ 2003માં નંબરિંગ પ્લાને 750 મિલિયન ફોન કનેક્શન માટે જગ્યા બનાવી હતી, જેમાં 450 મિલિયન સેલ્યુલર અને 300 મિલિયન બેઝિક અને લેન્ડલાઈન ફોન હતા.
- 9,8 અને 7થી શરૂ થતા 10 ડિજિટના મોબાઈલ નંબર 2.1 અબજ કનેક્શનની છૂટ આપવામાં આવી શકે છે. એવામાં આવનાર સમય માટે 11 ડિજિટવાળા મોબાઈલ નંબરની જરૂર પડી શકે છે.
- આ સાથે જ ડેટા ઓન્લી મોબાઇલ નંબર્સ (ડોંગલ કનેક્શન માટે) 10-13 ડિજિટ્સ બનાવવામાં આવી શકે છે અને આવા નંબર્સની સીરિઝ 3,5 અને 6 થી શરૂ થઇ શકે છે.