નિયમ / TRAIના આ નવા નિયમથી બંધ થઈ જશે 100થી વધુ ચેનલ્સ, થઈ શકે છે આ મોટો ફેરફાર

Trai new tariff order Over 100 TV channels may shut if new order applied

TRAIના એક આદેશે ટીવી બ્રોડકાસ્ટર્સ હચમચી ગયા છે. TRAIએ તેમને નવા ટેરિફ ઓર્ડર (એનટીઓ 2.0)ના તાત્કાલિક અમલ કરવાના નિર્દેશ આપ્યા છે. બ્રોડકાસ્ટર્સને આશંકા છે કે અચાનક લેવામાં આવેલાં આ પગલાથી મોટી સંખ્યામાં ચેનલો બંધ થઈ જશે. સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ મે મહિનામાં આઈબીએફના સભ્યોની સાથે બેઠક કરી હતી. તેમાં તેમણે વિશ્વાસ આપ્યો હતો કે એનટીઓ 2.0ને હાલ જાહેર નહીં કરવામાં આવે. તેમ છતાં આ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ