TRAIના એક આદેશે ટીવી બ્રોડકાસ્ટર્સ હચમચી ગયા છે. TRAIએ તેમને નવા ટેરિફ ઓર્ડર (એનટીઓ 2.0)ના તાત્કાલિક અમલ કરવાના નિર્દેશ આપ્યા છે. બ્રોડકાસ્ટર્સને આશંકા છે કે અચાનક લેવામાં આવેલાં આ પગલાથી મોટી સંખ્યામાં ચેનલો બંધ થઈ જશે. સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ મે મહિનામાં આઈબીએફના સભ્યોની સાથે બેઠક કરી હતી. તેમાં તેમણે વિશ્વાસ આપ્યો હતો કે એનટીઓ 2.0ને હાલ જાહેર નહીં કરવામાં આવે. તેમ છતાં આ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
TRAIના એક આદેશે ટીવી બ્રોડકાસ્ટર્સ હચમચી ગયા છે
TRAIએ આ નવો નિયમ લાગુ કરવાની કરી તૈયારી
આ નવા નિયમ હેઠળ 100થી વધુ ચેનલો બંધ થઈ જશે
બ્રોડકાસ્ટર્સનું કહેવું છે કે એનટીઓ 2.0થી તેમની ચેનલના ભાવ નક્કી કરવાની ક્ષમતા પર અસર પડશે. ટ્રાઈએ દરેક ચેનલની MRPને મહત્તમ 12 રૂપિયા નક્કી કરી દીધી છે. સાથે જ ચેનલ બકેટ પર ડિસ્કાઉન્ટની સીમા પણ 33 ટકા નક્કી કરી દેવામાં આવી છે.
હવે ડઝન જેટલી ચેનલો આગામી કેટલાક વર્ષોમાં બંધ થવાની આરે છે
સ્ટાર અને ડિઝની ઈન્ડિયાના ચેરમેન ઉદય શંકર અને ઝી એન્ટરટેનમેન્ટના એમડી તથા સીઈઓ પુનીત ગોયન્કાએ જણાવ્યું કે, NTO 2.0ના અમલામાં આવવાથી કેટલાક વર્ષોમાં 100-150 ચેનબલ બંધ થઈ શકે છે. તેમણે કહ્યું કે નવા ટેરિફ ઓર્ડર હેઠળ જે ચેનલની પહોંચ વધુ નથી, તેને મોનેટાઇઝ નહીં કરી શકાય. તેને પોર્ટફોલિયો બેનિફિટ કે બકેટ એડવાન્ટેજ મળી શકે છે. પહેલાંથી જ આવી એક ડઝન ચેનલ છે જે આગામી થોડાક વર્ષોમાં બંધ થવાના આરે છે. TRAIના હાલના પગલાંથી 100થી વધુ ચેનલ બંધ થઈ જશે, કારણ કે તેને ચલાવવી આર્થિક રીતે ફાયદેમંદ નહીં રહે.
શંકરે કહ્યું કે, પહોંચ વગર ચેનલ વિજ્ઞાપન નહીં મેળવી શકે. એવામાં ચેનલોની પાસે સર્વાઈવ કરવા માટે સબ્સક્રિપ્શન રેવન્યૂ એકમાત્ર રસ્તો બચે છે. NTOના કારણે તે વધુ મુશ્કેલ થતું જઈ રહ્યું છે. એવામાં મને લાગે છે કે અમે ઘણી ચેનલો ગુમાવી દઈશું. તેની અસર માત્ર અંગ્રેજી ચેનલો પર જ નહીં પરંતુ ક્ષેત્રીય ચેનલો ઉપર પણ પડશે.
જો નિયમ લાગુ થશે તો ઓછામાં ઓછી 100-150 ચેનલ બંધ થઈ જશે
ગોયન્કાએ કહ્યું કે, જો નિયમ લાગુ થશે તો ઓછામાં ઓછી 100-150 ચેનલ બંધ થઈ જશે. તેમને કોઈ ચલાવવાનું પસંદ નહીં કરે. TRAIએ પહેલી જાન્યુઆરીએ નવા ટેરિફ ઓર્ડર નોટિફાય કર્યા હતા. તેને ટોપ ટેલિવિઝન બ્રોડકાસ્ટર, ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન (IBF) અને ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો છે.
કોર્ટે મામલાની સુનાવણી પૂરી કરીને ચુકાદાને સુનિશ્ચિત કરી દીધો હતો. કોર્ટે બ્રોડકાસ્ટર્સને કોઈ વચગાળાની રાહત નથી આપી. 24 જુલાઈએ TRAIએ બ્રોડકાસ્ટર્સને પોતાના રેફરન્સ ઇન્ટરકનેક્ટ ઓફર (RIO)ને બદલવા માટે કહ્યું છે. તેને તેમના NTO 2.0ની જેમ કરવાનું છે. સાથે 10 ઓગસ્ટ સુધી તેને પોતાની વેબસાઇટ પર પબ્લિશ કરી દેવાનું છે.