ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ કેબલ તથા DTH ગ્રાહકોને રાહત આપતા પસંદગીની ચેનલ્સની સમયસીમા 31 માર્ચ 2019 સુધી વધારવાની આવી છે. પહેલા મનગમતી ચેનલ્સની પસંદગી માટે સમયસીમા 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી.
TRAIના કહેવા પ્રમાણે દેશમાં લગભગ 10 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 6.7 કરોડ ડાયરેક્ટ ટૂ હોમ (DTH) ગ્રાહક છે. કેબલ સર્વિસિઝ 65% અને DTH 35% સબ્સક્રાઇબર્સ તેમની પસંદગીની ચેનલ પસંદ કરી ચૂક્યા છે.
TRAIએ કહ્યુ કે વ્પાપક જનહિટમાં તમામ ડિસ્ટ્રીબ્યૂશન પ્લેટફોર્મ ઓપરેટર્સને આદેશ આપવામાં આવ્યો છે કે ગ્રાહકો તેમનો વિકલ્પ પસંદ કરતા નથી તેઓને બેસ્ટ ફિટ પ્લાનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યાં સુધી ગ્રાહક તેમનો વિકલ્પ પસંદ નથી કરતા અને બેસ્ટ ફિટ પ્લાનમાં ટ્રાન્સફર થતી નથી ત્યાંસુધી તેઓ હાલની પ્લાનને ચાલુ રાખી શકે છે.
TRAIએ ડિસ્ટ્રીબ્યૂશન ઓપરેટર્સ (કેબલ અને DTH કંપનીઓ)ને તેમના ગ્રાહકોને 1 ફેબ્રુઆરી સુધી નવી ટેરિફ સિસ્ટમ પર લાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સિસ્ટમ હેઠળ ગ્રાહકો માત્ર તે ચેનલ્સની જ પસંદગી કરશે અને ચૂકવણી પણ તે ચેનલ્સની જ કરશે જે તેઓ જોવા માગે છે.