છેલ્લા એક સપ્તાહથી એવી ચર્ચા ચાલી રહી હતી કે દેશભરના 6 કરોડ મોબાઇલ કનેક્શન બંધ થઇ જશે કારણ કે આ 6 કરોડ લોકો પોતાના એક જ સિમ કાર્ડને પ્રાથમિકતા આપી રહ્યા છે અને બીજા નંબરને માત્ર ઇનકમિંગ કોલિંગ માટે ઉપયોગ કરી રહ્યા છે. એવામાં ટેલિકોમ કંપનીઓને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ નુકસાનની ભરપાઇ માટે ટેલિકોમ કંપનીઓએ પ્રી પેડ કનેક્શન માટે ન્યૂનતમ રિચાર્જ પ્લાન જારી કરવાના શરૂ કરી દીધા છે. હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર રિચાર્જ નહીં કરાવવા પર તમારો નંબર બંધ થઇ જશે. ચલો તો જાણીએ
ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાય) સાથે ટેલિકોમ કંપનીઓને પ્રીપેડમાં ન્યૂનતમ રિચાર્જની સમસ્યા પર જવાબ માંગ્યો છે. સાથે જ એમને કહ્યું છેકે પ્રાધિકરણના નિર્દેશોનું અનુપાલન થાય ત્યાં સુધી ગ્રાહકોની સેવા બંધ કરાશે નહીં.
છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય એરટેલ અને વોડાફોન આઇડિયાના પ્રીપેડ ગ્રાહકોને મેસેજ મોકલીને કહી રહી છે કે સેવાઓને જારી રાખ માટે નક્કી કરેલ સમયમાં નિર્ધારિત રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. ટ્રાય એ કહ્યું છે કે ગ્રાહકોએ એમને મોટાપાયે ફરિયાદ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે એમના ખાતામાં પૂરતી રકમ ના હોવા બાદ એમને આવો મેસેજ મળ્યો છે.
કેટલીક ટેલીકોમ કંપનીઓએ પોતાની આવક વધારવા માટે 35 રૂપિયાથી શરૂ થઇ રહેલ ન્યૂનતમ માસિક રિચાર્જ પ્લાનને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એની વિરુદ્ધ પહોંચેલી ગ્રાહકોની ફરિયાદ પર ટ્રાયએ ભારતીય એરટેલ અને વોડાફોન આઇડિયાને પત્ર મોકલ્યો છે. ટ્રાયએ પોતાના પત્રમાં કહ્યું છે કે બંને કંપનીઓ 3 દિવસની અંદર પોતાના ગ્રાહકોને જણાવે કે એમના હાલના પ્લાનનો સમય ક્યારે પૂર્ણ થઇ રહ્યો છે.
ટ્રાયે બંને કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે એ ગ્રાહકોને જણાવે કે પ્રીપેડ ખાતાના ન્યૂનતમ રિચાર્જ પ્લાન દ્વારા અન્ય ઉપલબ્ધ પ્લાનનો ફાયદો કેવી રીતે ઊઠાવવામાં આવે અને સાથે જ સમયમર્યાદા ખતમ થતા પહેલ કંપનીઓ ગ્રાહકોને સૂચિત કરે. એની સાથે જ ટ્રાયએ ભારતીય એરટેલ અને વોડાઉોન આઇડિયાને કહ્યું છે કે એમના નિર્દેશોનું પાલન થાય ત્યાં સુધી કંપનીઓ એ ગ્રાહકોની સેવા બંધ ના કરે જેમના અકાઉન્ટમાં ન્યૂનતમ રિચાર્જ રાશિ બરાબર રકમ હોય નહીં. આ મામલે કોઇ પણ નિર્ણય સ્પષ્ય નથી એવામાં ટેલિકોમ કંપનીઓ તમારું સિમ કાર્ડ બંધ કરી શકતી નથી.