ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સર્વિસ ટેલિકોમ સબ્સક્રાઈબર્સમાં લોકપ્રિય બની રહી છે. આ સર્વિસની મદદથી સબસ્ક્રાઈબર પોતાનો નંબર બદલ્યા વિના જ ઓપરેટર એક્સચેન્જ કરી શકે છે. પરંતુ હાલના સમયમાં MNPની પ્રક્રિયા વધારે લાંબી છે. હવે TRAI નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. જેનાથી તમારો પોર્ટેબિલિટીનો સમય ઘટશે.
TRAI કરશે નંબર પોર્ટેબિલિટીના નિયમમાં ફેરફાર
આ તારીખોમાં નહીં કરી શકાય નંબર પોર્ટેબિલિટીની રિકવેસ્ટ
નવા નિયમ આ તારીખોમાં પડશે લાગૂ
ટ્રાઈના નવા નિયમો આવ્યા બાદ ગ્રાહકને મોબાઈલ નંબર પોર્ટ કરવામાં વધારે સમય રાહ જોવી પડશે નહીં. તેમાં સરળતા રહેશે. જો તમે તમારા ટેલિકોમ ઓપરેટરને બદલવા ઈચ્છો છો તો પહેલાં UPC એટલે કે યૂનિક પોર્ટિંગ કોડ જનરેટ કરવાનો રહેશે. ત્યારપછી આખી પ્રક્રિયામાં એક અઠવાડિયાનો સમય લાગે છે.
ક્યારથી લાગૂ થશે નવા નિયમ
MNP સાથે જોડાયેલા નવા નિયમ 16 ડિસેમ્બર રાતના 12 વાગ્યાથી લાગૂ પડશે. એવામાં ધ્યાન રાખવાનું રહેશે કે નવા નિયમ લાગૂ થતાં પહેલાં જ MNP સર્વિસને બંધ કરી દેવામાં આવે. ટ્રાઈના આધારે 9 ડિસેમ્બરથી સાંજે 5.59 વાગ્યા પહેલાં જે યૂઝર્સે રિકવેસ્ટ મોકલી હશે તેને નિયમ અનુસાર પૂરી કરવામાં આવશે. ત્યારબાદ 16 ડિસેમ્બરની રાતે 12 વાગ્યાથી નવી રિકવેસ્ટ સબમિટ નહીં કરવામાં આવે. એટલે કે 6 દિવસ સુધી MNP રિકવેસ્ટ ફાઈલ કરાશે નહી.
2 દિવસમાં પોર્ટ થઈ જશે નંબર
નવા નિયમ 16 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. જે છેલ્લા વર્ષે 13 ડિસેમ્બરે ફાઈનલ થઈ હતી. નવા નિયમ લાગૂ થયા બાદ ફક્ત બે દિવસમાં તમે તમારા નંબર એક ઓપરેટરથી અન્ય ઓપરેટરમાં પોર્ટ કરી શકશો.
ઈન્ટર સર્કલ નંબર પોર્ટ કરવામાં લાગશે 5 દિવસ
જો તમે તમારા નંબર એક સર્કલથી અન્ય સર્કલમાં પોર્ટ કરવા ઈચ્છો છો તો તમે નવા નિયમ લાગૂ થયા બાદ પણ નંબર પોર્ટ થવામાં 5 દિવસ લાગી શકે છે. પહેલાં આ નિયમ 11 નવેમ્બરથી લાગૂ થવાનો હતો. પરંતુ ટ્રાઈએ અનિશ્ચિત સમય માટે તેને ટાળી દીધો હતો. હવે નક્કી થયા અનુસાર 16 ડિસેમ્બરથી નવા નિયમો લાગૂ થશે.