પાકિસ્તાનમાં આતંકી હુમલાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કરાચીમાં સોમવારે ફરી એકવાર આતંકીઓએ વિસ્ફોટ કર્યો હતો. જેમાં એકનું મોત અને 11 લોકો ઘાયલ થયા હતા.
બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના PMએ આ હુમલાની નિંદા કરી
આ પહેલા ગત ગુરુવારે સદર વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો
બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કરાચી પોલીસનું કહેવું છે કે બ્લાસ્ટ માટે ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસ પીકઅપ અને અન્ય કેટલાક વાહનોને નુકસાન થયું હતું. આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
“اماں اٹھو جلدی اٹھو” زخمی بچہ اپنی ماں کو پکارتا رہا مگر وہ جاچکی تھی۔ اناللہ وانا الیہ راجعون،کراچی دھماکہ کے انتہائی دلخراش مناظر تعالی رحم فرما دے ۔ #KarachiBlastpic.twitter.com/E79Gki4TFB
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની નિંદા કરી છે. તેમણે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને તાત્કાલિક પકડવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેણે સિંધ સરકારને મદદ કરવાની પણ વાત કરી છે. અહીં સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે તમામ ઘાયલોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે સિંધના આઈજીપી મુશ્તાક અહેમદ મહાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
ગુરુવારે સદર વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો
કરાચી શહેરમાં થયેલા ત્રણ હુમલાઓમાંથી આ બીજો આતંકી હુમલો છે. આ પહેલા ગુરુવારે કરાચીના સદર વિસ્તાર પાસે થયેલા વિસ્ફોટમાં 1 નાગરિકનું મોત થયું હતું, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને અંજામ આપવા માટે બાઇકમાં IED લગાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
18 દિ' પહેલા થયેલા વિસ્ફોટમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદી ઘટનાઓમાં ભારે વધારો થયો છે. 18 દિવસ પહેલા જ કરાચી યુનિવર્સિટીમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ હુમલો કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ નજીક એક કાર પાસે થયો હતો. માર્યા ગયેલા પાંચમાંથી ત્રણ ચીનની મહિલા પ્રોફેસર હતી. ચોથો તેનો પાકિસ્તાની ડ્રાઈવર હતો અને પાંચમો તેનો ગાર્ડ હતો.