દિવાળીના દિવસેજ ગુજરાતમાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. જેમા બરોડા એક્સપ્રેસ હાઈવે પર એક અકસ્માત સર્જાયો તો તેમા 3 લોકોના મોત થયા છે. બીજો અકસ્માત અરવલ્લીમાં થયો છે તે અકસ્માતમાં પણ 3 લોકોના કરૂણ મોત થયા છે.
દિવાળીના દિવસે બે ભયંકર અકસ્માત
અરવલ્લી અને બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત
બંને અકસ્માતમાં કુલ 6 લોકોના કરૂણ મોત
અમદાવદ એક્સપ્રેસ હાઈવે પર આજે દિવાળીના દિવસેજ અકસ્માત સર્જાયો છે. જેમા આ ભયંકર અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત કરૂણ મોત થયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત એટલો ગંભીર હકો કે ઘટના સ્થળેજ 3 લોકોના મોત થયા છે. જેના કારમે મૃતકોના પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું છે.
ઓવરટેક કરતી વખતે અકસ્માત સર્જાયો
હાઈવે પર ઓવરટેકર કરતી વખતે ટ્રક ગાડીની પાછળ ઘુસી ગઈ તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં જે પણ લોકોના મોત થયા છે. તે લોકો અમદાવાદના ઘોડાસર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફીક જામ થઈ ગયો હતો જેના કારણે લોકોને ભારે હાલાંકી પડી હતી.
મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઘટનાની જાણ થતાજ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. જ્યા તેમણે મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગાડીમાં ફસાયો હતો. જેથી ફાયરબ્રિગેડને બોલાવામાં આવી હતી. જેમા ફાયર બ્રિગેડે ભારે જહેમત કરીને એક વ્યક્તિને ગાડીની બહાર કાઢ્યો હતો.
અરવલ્લીમાં પણ ગમખ્વાર અકસ્માત
આ તરફ અરવલ્લીમાં પણ દિવાળીના દિવસેજ ભયંકર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માત કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ધનસુરા પોલીસ પણ ઘટના સ્તરે પહોચી હતી જેમણે ઘાયલોને સારવાર માટે ખસેડ્યા હતા.
સ્થાનિકોએ મોબાઈલ અને રૂપિયા પોલીસને આપ્યા
ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં જે અકસ્માત થયો તે અકસ્માતમાં સ્થાનિકોને 3 મોબાઈલ અને 50 હજાર રોકડા મળી આવ્યા હતા. જે રૂપિયા અને મોબાઈલ સ્થાનિકોએ પોલીસને આપ્યા હતા. જેથી સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસ આરંભી છે.