મેઘાલયમાં 21 મુસાફરો સાથે બસ નદીમાં ખાબકી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમા 6 મુસાફરોના કરૂણ મોત થયા છે. જ્યારે 16 મુસાફરો ગંભીર રીતે ધાયલ છતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મેઘાલયમાં મુસાફરો સાથે બસ નદીમાં ખબકી
ઘટનામાં 6 મુસાફરોના કરૂણમોત
16 લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Meghalaya | Four passengers died after a bus travelling from Tura to Shillong fell into Ringdi river at Nongchram at 12 am. Injured have been hospitalised. Rescue operation for other passengers is underway: East Garo Hills Police pic.twitter.com/JvmD1dl6w6
મેઘાલયમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા તૂરા થી શિલોન્ગ જઈ રહેલી બસ રિંગડી નદીમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 યાત્રીઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અને બીજા જે પણ યાત્રીઓ ફસાયેલા છે તેમને પણ બચાવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
6 મુસાફરોના અકસ્માતમાં મોત
આ અકસ્માતમાં પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોના મોતનુ પુષ્ટી કરી છે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. ઘાયલ મુસાફરોને વિલિયમનગર અને તૂરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
2 મૃતદેહો હજુ બસમાં ફસાયેલા
સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે ચાર મૃતદેહોને નદીમાંથી નિકાળવામાં આવ્યા છે. જ્યારે બે મૃતદેહો હજુ પણ બસમાં ફસાયેલા છે. પોલીસના કહેવા પ્રમાણે અત્યાર સુધીમ કુલ 16 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત નોન્ગશ્રામ પુલ થયો જે ગારો હિલ્સ અને વેસ્ટ ખાસી હિલ્સની સીમા પર આવેલ છે.
બસમાં 21 મુસાફરો સવારી કરી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર બસમાં 21 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ઈમરજન્સી ટીમ તાત્કાલીક સ્થળે પહોચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે એવું કહ્યું કે 2 લોકો હજું પણ ગાયબ છે. જેમને શોધવામાં આવી રહ્યા છે.