મહારાષ્ટ્ર રાયગઢ જિલ્લામાં આવેલ તલાઈ ગામમાં ભારે વરસાદને કારણે ભૂ-સ્ખલન થયું. જેના કારણે કુલ 44 લોકોના જીવ હોમાઈ ગયા છે. સમગ્ર મામલે NDRFની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
રાયગઢના તલાઈ ગામમાં 44 લોકોના મોત
ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં લોકોના મોત નિપજ્યા
NDRFની ટીમ દ્વારા રેસ્ક્યું ઓપરેશન યથાવત
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલ તલાઈ ગામમાં ભૂસ્ખલન થયું જેના કારણે અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. પોલીસના કહેવા પ્રમાણે મહાડ તાલુકાના તલાઈ ગામમાં મોતનો આંકડો હજું વધી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
Due to landslides in Talai village, Raigad around 35 people have lost their lives. Rescue operation is underway at many places. I have ordered the evacuation & relocation of people who are living in areas where there is a possibility of landslide: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/neZl4BsDqE
વરસાદને કારણે મહારાષ્ટ્રની ઘણી બધી જગ્યાએ દુર્ઘટના ઘટી છે. પરિણામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતીનું નિરિક્ષણ કર્યું હતું. તો બીજી તરફ રાયગઢમાં ભૂસ્ખલનને કારણે જે લોકોના મોત થયા છે તે લોકોના પરિવારને વડાપ્રધાને વળતર આપવાની જાહેરાત કરી છે.
#WATCH Incessant rains damage roads in Mahad of Raigad district in Maharashtra
સમગ્ર મામલે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે સાથેજ ઘાયલોને પણ 50 હજાર આપવાની જાહેરત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પણ રાયગઢમાં થયેલી ઘટનાને દુર્ઘઠનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે. સમગ્ર મામલે તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમજ એનડીઆરએફની ટીમના ડીજી એસએન પ્રધાન સાથે વાત કરી છે.
ભૂસ્ખલનની સંભવના વાળી જગ્યાઓ ખાલી કરાવામાં આવી
એનડીઆરએફની ટીમ દ્વારા રાહત કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા પણ શક્ય બને તેટલી મદદ કરવામાં આવી રહી છે. જોકે મુખ્યમંત્રીએ કહ્યું કે રાયગઢના તલાઈ ગામમાં ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા છે. હજુ ત્યા રેસ્ક્યું ઓપરેશન ચાલું છે. તેમજ જે જગ્યાઓ પર હજું પણ ભૂસ્ખલનની સંભવના છે તે જગ્યાઓને ખાલી કરી દેવામાં આવી છે.
45 વર્ષનો રેકોર્ડ બ્રેક
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં અત્યારે અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન ખોરવાયું છે. સતારાના મહાબળેશ્વર હિલ સ્ટેશન પર 480 એમએમ વરસાદ નોંધાયો છે. જે 45 વર્ષનો રેકોર્ડ બ્રેક કરી ચૂક્યો છે. મહાબળેશ્વરના સતારાથી સંપર્ક તૂટ્યો છે કેમકે બંનેને જોડતો રસ્તો પૂરમાં વહી ચૂક્યો છે. મુશ્કેલીની વાત એ છે કે અહીં પર્યટક મહાબળેશ્વરનો વરસાદ જોવા આવ્યા હતા તે ફસાઈ ચૂક્યા છે. એનડીઆરએફની ટીમ રેસ્ક્યૂનું કામ કરી રહી છે.