રાજસ્થાનના ચિતૌડગઢમાં બે ગાડીઓ વચ્ચે જબરદસ્ત ટક્કર સર્જાઈ હતી, આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત થઇ ગયા છે, આ સિવાય જે ઘાયલ થયા છે અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જો કે સ્થિતિની ગંભીરતાને જોતા મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. પીએમ મોદીએ આ ઘટના પર શોકસંવેદના વ્યકત કરી હતી.
ચિતૌડગઢમાં બે ગાડીઓ વચ્ચે ટક્કર
10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ભરતી કરાયા
રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક દુ:ખદ અકસ્માત થયાના સમાચાર છે. માહિતી પ્રમાણે ચિત્તોડગઢના ઉદેપુર નિમ્બાહેરા રોડ પર એક વાહન અને ટ્રેલર સામસામે ટકરાયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. ટ્રેલર દ્વારા જે વાહન સવાર થયું હતું તે મધ્યપ્રદેશનું હતું અને મૃત્યુ પામેલા લોકો મધ્યપ્રદેશના છે તેવુ મનાઈ રહ્યું છે. અકસ્માતની માહિતી મળતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
Rajasthan: 10 dead after two vehicles collided with each other in Chittorgarh. Injured have been shifted to hospital. More details awaited.
ચિત્તોડગઢ ના નિકુંભ પોલીસ સ્ટેશન વિસ્તારના સદર ખેડા વિસ્તારમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ટ્રેલર વાહન ઓવરટેક કરી રહ્યું હતું. તે જ સમયે, ટ્રેલર આગળથી આવતા ક્રુઝર વાહનની સાથે ટકરાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે ક્રુઝરમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. તેમજ એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Pained by the loss of lives due to an accident at Nikumbh, Chittorgarh. In this sad hour, my thoughts are with the bereaved families. I wish the injured a speedy recovery: PM @narendramodi
ગંભીર રીતે ઘવાયેલા ત્રણ લોકોનું હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બધા લોકો મધ્યપ્રદેશના રહેવાસી છે. આ બધા શનિવારે શ્રી સાંવલિયા શેઠ મંદિર ગયા હતા, ત્યાંથી પરત ફરતાં તેમની કાર અકસ્માતનો શિકાર બની હતી. કારમાં એક દુલ્હન અને દુલ્હન પણ હતા, જેનાં 4 દિવસ પહેલા લગ્ન થયાં હતાં.
રાત્રીનો અંધકાર હોવાથી બચાવકાર્યમાં પડી મુશ્કેલી
અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલર સંપૂર્ણ રીતે વાહન સાથે ટકરાઈને અથડાયું હતું. માહિતી મળતાં નિકુંભ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેના પછી જેસીબીની મદદથી બંને ક્ષતિગ્રસ્ત વાહનોને સાથે ખસેડીને લઇ જવામાં આવ્યા હતા, અને મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની સ્થિતિ જોતાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. અંધારાને લીધે, ઘાયલોને દૂર કરવામાં અને રાહત કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ હતી.
निकुम्भ, ज़िला चित्तौड़गढ़, राजस्थान में नीमच निवासी आठ लोगों की सड़क दुर्घटना में मृत्य होने का दुःखद समाचार मिला है।
ईश्वर से प्रार्थना है कि वे दिवंगत आत्माओं को शांति दें, उनके परिवार के सदस्यों को यह दुःख सहने की शक्ति प्रदान करें और घायलों को शीघ्र ही पूर्ण स्वस्थ करें।
મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું, " રાજસ્થાન ના નિકુંભ જીલ્લા ચિત્તોડગઢ નીમચમાં એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોતનો દુ:ખદ સમાચાર અમને મળ્યો છે. દિવંગત આત્માઓને શાંતિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું, તેમના પરિવારના સભ્યોને આ દુ:ખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના કરું છું"