સુરતના બલેશ્વર પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં આગ લાગતા બે લોકો મૃત્યુ નીપજ્યું હતું
સુરતના બલેશ્વર પાટિયાની ઘટના
ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
કારમાં આગ લાગતા બે લોકો ભડથું
બલેશ્વર પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
સુરતના બલેશ્વર પાટિયા પાસે હ્રદય હચમચાવી નાંખે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. બલેશ્વર પાટિયા પાસે એક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દરમિયાન કારમાં આકસ્મીક રીતે આગ લાગતાં કારમાં બેઠેલા બે લોકો ભડથું થઈ ગયા હતાં.પોલીસે તેમના બળીગયેલી હાલતમાં મૃતદેહને બહાર કાઢી તેમની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ
જેની જાણ સ્થાનિકો દ્વાર ફાયર વિભાગને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ આ વાતની જાણ પલસાણા પોલીસને કરતાં પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી. આ અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કાર ચાલક ચલથાણનો સોનું સિંઘ હતો.જેથી પોલીસ હવે તે દિશામાં પણ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.