કચ્છમાં રાપરના પલાસવા ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસ.ટી બસ અને જીપ વચ્ચેના અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
રાપરના પલાસવા ગામ નજીક સર્જાયો અકસ્માત
જીપ અને એસ.ટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં ત્રણ વ્યક્તિના થયા મોત
કચ્છમાં રાપરના પલાસવા ગામ નજીક જીપ અને એસ.ટી બસ વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓના મોત અને 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બચાવ માટે કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત સર્જાતા જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે બસને પણ નુકસાન થયું હતું.