ઘરમાં મંદિર બનાવવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. માન્યતા છે કે મંદિરના કારણે ઘરમાં સકારાત્મક બનેલી રહે છે. તે માટે ધ્યાન રાખવું જોઇએ કે મંદિરની આસપાસ ગંદકી હોવી જોઇએ નહીં, નિયમિત રૂપથી સવાર સાંજ પૂજા કરવી જોઇએ.
ઘરના મંદિરમાં વધારે મોટી મૂર્તિઓ રાખશો નહીં. શિવપુરાણ અનુસાર મંદિરમાં આપણા અંગૂઠાના આકારનું મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં, શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને આ કારણથી ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવાનો નિયમ છે. અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ પણ નાના આકારની રાખવી જોઇએ.
ધ્યાનમાં રાખો કે મંદિરમાં ખંડિત મૂર્તિઓ રાખશો નહીં. જે પણ મૂર્તિઓ ખંડિત થઇ જાય છે, એને મંદિરમાંથી હટાવી દેવી જોઇએ ખંડિત મૂર્તિઓ પૂજા માટે અશુભ માનવામાં આવી છે. પરંતુ ધ્યાનમાં રાખો કે માત્ર શિવલિંગ જ ક્યારેય પણ કોઇ પણ અવસ્થામાં ખંડિત માનવામાં આવતું નથી.
રોજ રાતે સૂતા પહેલા મંદિર પર પડદો પાડી દેવો જોઇએ. જે રીતે આપણે કોઇ પણ પ્રકારની અડચણ પસંદ કરતા નથી બરોબર એ જ રીતે મંદિર પર પણ પડદો પાડી દેવો જોઇએ. જેનાથી ભગવાનના વિશ્રામમાં અડચણ ઉત્પન્ન ના થાય.
ઘરમાં પૂજા કરનાર વ્યક્તિનું મોઠું પશ્વિમ દિશાની તરફ રહેશે તો એ ખૂબ જ શુભ રહે છે. એના માટે મંદિરનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઇએ.
શૌચાલયની આસપાસ મંદિર બનાવવું જોઇએ નહીં, એવી જગ્યા પર મંદિર શુભ ફળ આપતું નથી. જેના કારણે વાસ્તુ દોષ વધે છે.
ઘરમાં મંદિર એવી જગ્યા પર બનાવવું જોઇએ જ્યાં થોડા સમય માટે સૂર્યના કિરણો જરૂરથી પહોંચે. સૂર્યની રોશની અને તાજી હવાથી ઘના ઘણા દોષ શાંત થઇ જાય છે.
સવારે અને સાંજ ઘરમાં પૂજા કરવી જોઇએ. મંદિરમાં દીવો કરો. પૂજનમાં ઘંટડી વગાડો. ઘંટડીનો અવાજ અને દીપકની રોશનીથી નકારાત્મકતા નષ્ટ થાય છે.
ઘરમાં જે જગ્યાએ મંદિર બનાવેલું છે ત્યાં ચામડાની ચીજોથી બનેલી વસ્તુઓ, જૂતા ચંપલ લઇ જવા જોઇએ નહીં.