હાલ કોરોનાની મહામારીમાંથી બચવા અને શરદી ખાંસીમાં પણ રાહત માટે આદુ અકસીર છે. આદુ એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આદુની ચા પીવાથી શરદી, કફ, ઉઘરસ જેવી સમસ્યા દૂર થાય છે. આદુ પાચન માટે બેસ્ટ માનવામાં આવે છે. આદુનો ઉપયોગ ખાસ કરીને શાકના મસાલામાં કરવામાં આવે છે. તો આજે આદુની જ એક અનોખી રેસિપી જણાવીએ. ઘરે બનાવો આદુનું ખાટું અથાણું.
સામગ્રી
250 ગ્રામ આદુ
500 ગ્રામ લીંબુ
અડધી ચમચી હીંગ
પા ચમચી કાળામરીનો પાવડર
અડધી ચમચી જીરા પાવડર
1 મોટી ચમચી લાલ મરચું પાવડર
અડધી ચમચી સંચળ
મીઠું સ્વાદાનુંસાર
બનાવવાની રીત
સૌ પ્રથમ આદુ લઇને તેને બરાબર છોલી લો અને તેને પાણીથી ધોઇ લો.
હવે આદુને ઉભા ચીરામાં કટ કરી લો હવે લીંબુને કટ કરી તેના બીજ નીકાળી લો અને સાઇડમાં રાખો.
અન્ય એક વાસણમાં લીંબુનો રસ નીકાળી લો.તેમા આદુ, હીંગ, જીરા પાઉડર, કાળામરી પાઉડર, લાલ મરચું, સંચળ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
આ મિક્સ કરેલી સામગ્રીને 10 દિવસ સુધી એરટાઇટ ડબ્બામાં બંધ કરીને તડકામાં મૂકી દો.
તૈયાર છે આદુનું ખાટું અથાણું. જેને તમે ભોજનની સાતે સર્વ કરી શકો છો.