નવી દિલ્હી: Walmart-Flipkart ડીલની વિરુદ્ધ ટ્રેડર્સ એસોસિએશન 28 સપ્ટેમ્બરે ભારત બંધ કરશે. ફ્લિપકાર્ટ અને અમેરિકાની કંપની વોલમાર્ટની ડીલને કમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ને મંજૂરી આપી દીધી છે. એવામાં વોલમાર્ટ તરફથી 16 અરબ ડોલરમાં ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગીદારી લેવાનો રસ્તો ચોખ્ખો થઇ ગયો છે. ડીલને મંજૂરી મળ્યા બાદ વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે કહ્યું કે એ આ નિર્ણય વિરુદ્ધ કોર્ટ પણ જશે.
ભારતીય ટ્રેડર્સનું કહેવું છે કે વોલમાર્ટ ભલે દેશમાં ઓનલાઇન માર્કેટ દ્વારા એન્ટ્રી કરી રહી છે પરંતુ આગળ જઇને એ ઓફલાઇન બજારમાં આવશે જ. હાલ દેશમાં આશરે 7 કરોડ રિટેલર્સ છે જેમાંથી લગભગ 3 કરોડ રિટેલર્સને આ ડીલથી સીધી રીતે નુકસાન થવાનું છે.
અમેરિકાની કંપની વોલમાર્ટ ભારતની ઇ-કોમર્સ સાઇટ ફ્પિકાર્ટમાં 75 ટકાની ભાગીદારી ખરીદી છે. ફ્લિપકાર્ટના બોર્ડે આ ડીલને મંજૂરી પણ આપી દીધી છે. આ કરારની કિંમત આશરે 1 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. રિપોર્ટ્ પ્રમાણએ વોલમાર્ટની સાથે ગૂગલ-પેરેન્ટ કંપની અલ્ફાબેટ ઇન્ક પણ આ રોકાણમાં ભાગ લઇ શકે છે.