કોરોના સંક્રમણને લઈ સરકારે આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. પરંતુ વેપારીઓ માટે તો આ પૂર્ણ લોકડાઉન છે. અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે વેપારી વિરોધ દર્શાવી રહ્યા છે. કારણ કે, એક તરફ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ સરકારે ધંધો-વેપારને મંજૂરી આપવા અંગે કોઈ જાહેરાત કરી નથી. જેને લઈ વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
સુરતમાં વેપારીઓનો વિરોધ
એક તરફ ઓનલાઈન વેપાર શરૂ છે. અને લોકો ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે. જેને લઈને પણ દુકાનદારો નારાજગી દર્શાવી રહ્યા છે. નવું આંશિક લોકડાઉન 18 મેના રોજ પૂર્ણ થશે. પરંતુ શું તેના પછી પણ સરકાર ધંધો-દુકાન ખોલવાની મંજૂરી આપશે કે નહીં. અને જો મંજૂરી અપાઈ નહીં. તો વેપારીઓ માટે મુશ્કેલી વધી શકે છે. અને વિરોધ પણ વધશે.
સુરતમાં વેપારીઓએ બેનરો સાથે વિરોધ કર્યો કે, સાહેબ વેપારી ચોર નથી. જે પોતાની દુકાનમાંથી માલ કાઢી ચોરની જેમ વેચે છે. અમને અમારી ભૂખ, ઘરખર્ચ, બાળકોના ખર્ચ, બીમારી અને ટેક્સ ભરવાની બીક આ બધુ કરાવી રહી છે.
રાજ્યમાં લાદેલા કર્ફ્યૂની અવધિમાં વધારો થવાની શક્યતા ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યો છે ત્યારે હાલમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો સામે આવી રહ્યો છે. આ ઘટાડા વચ્ચે હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોની અવધિ સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે સૂત્રો અનુસાર રાજ્યમાં લાગુ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો હજુ પણ સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે.
25 મે સુધી કર્ફ્યૂ લંબાવવાની સરકારની વિચારણા
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ભલે ઓછા થઈ રહ્યા હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી તેના કારણે રાજ્યમાં લાદવામાં આવેલા નાઈટ કર્ફ્યૂ તથા દિવસ માટેની ગાઈડલાઇન સહિતના પ્રતિબંધો 25 મે સુધી લંબાવી દેવામાં આવે તેવી સરકારમાં વિચારણા ચાલુ હોવાની માહિતી સામે આવી રહી છે. રાજ્યમાં બીજી લહેરમાં કોઈ પણ રિસ્ક ન લેવાના અભિગમ સાથે પ્રતિબંધોને થોડા હજુ લાંબા કરી શકે છે.