ભારતમા મોખરાનુ સ્થાન ધરાવે છે ઇમિટેશન ઉધોગ,બોલીવુડથી ટેલીવુડ સુધી દબદબો છે. સરકાર તૈયાર જ્વેલરી પર અંકુશ મુકે તો તે ખુબ સારી વાત છે. કારણ કે ચાઈનાની જ્વેલરી સસ્તી અને ફિનિશિંગમાં સારી અને ટકાઉ હોય છે.
માત્ર રો-મટીરીયલ્સમાં છૂટ મળવી જોઇએ
ઇમીટેશન ઉધોગ,ટેલીવુડથી લઇ બોલીવુડ સુધી કરોડોનું માર્કેટ
ચાઈનાથી તૈયાર આવતી જ્વેલરી પર અંકુશ મુકવામાં આવે તેવી માંગઃવેપારીઓ
156 સીટની ભાજપની ભવ્યજીત બાદ ગુજરાતીઓ ને ખાસ કરીને નાનાથી મોટા ઉધોગોને સરકાર પાસે ધણી આશા અપેક્ષાઓ છે ગણતરીની કલાકોમાં જ સરકાર બજેટ રજુ કરશે જેમા અનેક ઉધોગમા પ્રાણ પુરાશે તેવી આશા અપેક્ષાઓ છે રાજકોટના ઇમીટેશન જગતની વાત કરીએ તો આ ઉધોગ પર લાખો લોકો નભી રહ્યાં છે આ માર્કેટનો દબદબો માત્ર ગુજરાત પુરતો સિમીત નથી રહ્યો કરોડોનુ ટર્ન ઓવર ધરાવતો આ બિઝનેશ ટેલીવુડ અને બોલીવુડ સુધી ફેલાયેલો છે ટીવી સિરીયલમા દેખાતા અભિનેતા અને અભિનેત્રી આ જવેલરીનો ઉપયોગ કરે છે.બજેટમા આ ઉધોગને વેગ મળે તે માટે તે માટે પૂર્વ પ્રમુખ નરેન્દ્ર મહેતાએ અમુક વાત Vtv સમક્ષ મુકી હતી. આવો જાણીએ આ ઉધોગને બળ માટે સરકારે શુ કરવાની જરુર છે અને આ વેપારીઓને કેવી આશા અપેક્ષાઓ છે.
વેપારી શું કહે છે
નરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમને બજેટમાં ઘણી બધી રાહત આપવામાં આવે જ છે. અમારી માંગ પ્રમાણે અમારો GSTમાં 3 ટકામાં સમાવેશ કર્યો છે. બજેટ આવી રહ્યું છે ત્યારે અમારી એક જ માંગ છે તે રો-મટીરીયલ્સમાં જ્વેલરીનું એવું સંભળાઈ છે કે 10થી 12 વસ્તુ એવી છે કે ચાઈનાથી જે આયાત કરવામાં આવે છે.તેના પર અંકુશ મુકવામાં આવે છે. એવુ સાંભળવા મળી રહ્યું છે. રો-મટીરીયલ્સમાં અંકુશ ન રાખવું જોઈએ તેના બદલે તૈયાર જવેલરી પર અંકુશ મૂકવું જોઈએ.
મોટાભાગનું રો-મટીરીયલ્સ ચાઈનાથી આવે છે
સરકાર તૈયાર જ્વેલરી પર અંકુશ મુકે તો તે ખુબ સારી વાત છે. કારણ કે ચાઈનાની જ્વેલરી સસ્તી અને ફિનિશિંગમાં સારી અને ટકાઉ હોય છે.. તેની સામે ભારતની જ્વેલરી એટલી દેખાવમાં એટલી સારી હોતી નથી.આ સાથે જ તેની કિંમત પણ વધારે હોય છે. જો ચાઈનાની જ્વેલરી પર અંકુશ મુકવામાં આવે તો લોકલ જ્વેલરી વધારે વેંચાઈ અને ઉધોગ ને બળ મળે. જો વધારે વેચાય તો અહિંયાના લોકોને વધારે રોજગારી મળી શકે. સરકાર જો જ્વેલરીના રો-મટીરીયલ્સમાં અંકુશ મુકે તો અમને તકલીફ પડે. કારણ કે મોટાભાગનું રો-મટીરીયલ્સ ચાઈનાથી આવે છે. અને રોજ ત્યાંથી નવુ નવુ આવતુ હોય છે. જેમાંથી અમે જ્વેલરી બનાવીએ છીએ અને તેને અમે એક્સપોર્ટ કરીએ છીએ. એટલે સરકાર ખાલી રો-મટીરીયલ્સનું ધ્યાન રાખે તે અમારી માંગ છે.
80 ટકા મહિલાઓનું યોગદાન
રાજકોટનું ઈમિટેશન માર્કેટ ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ધંધામાં અઢીથી 3 લાખ લોકોને રોજગારી મળે છે. સૌરાષ્ટ્રના નાના મોટા ગામમાં અનેક લોકોને આ ધંધા થકી રોજગારી મળે છે.અમારૂ જે જોબ વર્ક થાય છે તેમાં 80 ટકા મહિલાઓનું યોગદાન છે. એટલે જો રો-મટીરીયલ્સમાં અંકુશ મુકવામાં આવે તો અમને નુકસાન થાય છે.અને નવી ડિઝાઈન પણ બની શકતી નથી.આ સાથે જ રોજગારીમાં પણ મોટો તફાવત આવે છે.
વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પ્રજાલક્ષી બજેટની આશા
વિધાસભા ચૂંટણીમાં સરકારને ખોબલે ખોબલે મત આપી ફરી વધાવી લીધી છે અને આગામી સમયમા 2024 ની કેન્દ્રની ચૂંટણી આવી રહી છે તો વેપારીઓ અને ઉધોગપતિઓને પણ મોટી આશા છે કે બજેટ પ્રજાલક્ષી અને ફુલગુલાબી હશે હવે જોવાનુ એ રહેશે કે સરકાર પ્રજાના ભરોસા પર ખરી ઉતરશે કે નહીં.