કાપેલી-ફાટેલી નોટો ના બદલાતી હોવાને કારણે પરેશાન સામાન્ય જનતા માટે એક રાહત ભર્યા સમાચાર છે. હવે લોકો આવી નોટો બદલી શકશે. ભારતીય રિઝર્વ બેંકે નોટ બદલવા માટે ગાઇડ લાઇન રજૂ કરી છે. આ નોટો દ્વારા સરકારી લેણાની ચુકવણી પણ કરી શકાશે.
ગાઇડ લાઇનમાં રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું છે કે એવી નોટ જે પાણી પરસેવો અથવા કોઇ અન્ય ચીજો લાગવાથી ખરાબ રીતે ગંદી થઇ ગઇ હોય અથવા જેના બે ટુકડાં થઇ ગયા હોય પરંતુ એમાં જરૂરી ફીચર ગુમ થયા ના હોય તો તો એનાથી સરકારી લેણા હાઉસ ટેક્સ સીવર ટેક્સ વોટર ટેક્સ વીજળી બીલ વગેરેની ચુકવણી કરી શકાશે. સાથે જ બેંક કાઉન્ટર પર એમને જમા પણ કરવામાં આવશે. જો કે બેંક આ નોટોને ફરીથી જનતાને જારી કરી શકે નહીં.
આ ઉપરાંત એવી નોટ જેનો એક ભાગ ફાટેલો ગુમ થઇ ગયો હોય અથવા બે થી વધારે ટુકડાને જોડીને બનાવાયો હોય એ નોટ કોઇ પણ બેંક શાખામાં આપી શકાશે. આ નોટ રિઝર્બ બેંક નોટ રિફંડના નિયમ 2009 હેઠળ બદલી શકાશે.
રિઝર્વ બેંક 2 જુલાઇએ જારી ગાઇડ લાઇનમાં સ્પષ્ટ કહ્યું છે કે નારા અથવા રાજકીય પ્રકૃતિના સંદેશ લખેલી નોટની કાનૂની મર્યાદા સમાપ્ત થઇ જાય છે. એવા પ્રકારની નોટો બદલવાનો દાવો કરવામાં આવી શકે નહીં.
કોઇ પણ નોટને જાણી જોઇને અથવા ગુસ્સામાં નષ્ટ કરવામાં આવી શકે નહીં. એટલે કે જે નોટોને જાણી જોઇને ફાડવામાં આવી છે એને બદલવાનો કોઇ દાવો કરવામાં આવતો નથી.
જો કોઇ વ્યક્તિ મોટી સંખ્યામાં આ પ્રકારની કાપેલી ફાટેલી નોટો બદલવા માટે આપે છે તો એની સૂચના પોલીસને આપવામાં આવે કારણ કે આ મામલામાં કાર્યવાહી કરી શકાય.