કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમ અંતર્ગત વેપાર સર્ટિફિકેટ વ્યવસ્થાને સરળ બનાવવા અને વેપારને વધારવા માટે આ નિયમો જાહેર કર્યા છે.
વાહન ચાલકોને આપી મોટી રાહત
વેપાર સર્ટિફિકેટની માન્યતા લંબાવી દીધી
હવે એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી માન્ય રહેશે
વેપાર સર્ટિફિકેટની માન્યતા એક વર્ષથી વધારીને પાંચ વર્ષ કરી દીધી છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમ અંતર્ગત વેપાર સર્ટિફિકેટ વ્યવસ્થાને સરળ બનાવવા અને વેપારને વધારવા માટે આ નિયમો જાહેર કર્યા છે.
સર્ટિફિકેટ આપવા અને નવીનીકરણ કરવાનો સમય હવે 30 દિવસ છે. સમય પર નિવારણ ન કરવામાં આવે તો અરજીને સસ્વિકૃત માનવામાં આવશે તેને લાગૂ થવાની તારીખ આ વર્ષે એક નવેમ્બર પ્રસ્તાવિત છે. હાલમાં વેપાર સર્ટિફિકેટ તેમના નવીનીકરણ કરવાની તારીખથી માન્ય રહેશે.
એક જ સર્ટિફિકેટમાં કેટલાય પ્રકારના વાહન માટે અરજી
વેપાર સર્ટિફિકેટ તથા વેપાર રજીસ્ટ્રેશનના સંકેતકો માટે અરજી, વાહન પોર્ટલ પર ઈલેક્ટ્રોનિક રીતે કરવામાં આવશે. તેના માટે આરટીઓ જવાની જરુર રહેશે નહીં. આ ઉપરાંત અરજીકર્તા એક અરજી પત્રમાં કેટલાય પ્રકારના વાહનો માટે અરજી કરી શકે છે.
વેપાર સર્ટિફિકેટની જરુર ફક્ત એ વાહનોના કિસ્સામાં રહેેશે, જે ન તો રજીસ્ટર્ડ છે, અથવા ન તો તે હંગામી ધોરણે નોંધાયેલ છે. આવા વાહનો ફક્ત ડીલર/ નિર્માતા/સપ્લાયર અથવા નિયમ 126 અંતર્ગત એક પરીક્ષમ એજન્સીના કબ્જોમાં હોય શકે છે.
ડીલરશીપ અધિકૃતતા પ્રમાણપત્રની નવી સિસ્ટમ
ડીલરશીપ અધિકૃતતામાં એકરૂપતા લાવવા માટે ડીલરશીપ અધિકૃતતા પ્રમાણપત્ર (ફોર્મ 16A) રજૂ કરવામાં આવ્યું છે. વેપાર પ્રમાણપત્રને ડીલરશીપ ઓથોરિટી સાથે કો-ટર્મિનસ બનાવવામાં આવ્યું છે. શોરૂમ/વેરહાઉસમાં ડીલરશીપ અધિકૃતતા પ્રમાણપત્રનું પ્રદર્શન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.