રાજધાની દિલ્હીમાં ગઈકાલે ટ્રેકટર પરેડ યોજાઈ હતી, જેમાં ખેડૂતોએ નક્કી થયેલા માર્ગની જગ્યાએ રાજધાનીમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ટકરાવ થયો હતો અને હિંસા ફાટી નીકળી હતી.
દિલ્હીમાં યોજાઇ હતી ટ્રેક્ટર રેલી
ટ્રેક્ટર રેલીમાં થઈ હતી હિંસા
પોલીસ અને ખેડૂતો વચ્ચે થયો હતો ટકરાવ
આ ટ્રેકટર રેલીમાં ગઈ કાલે 27 વર્ષના એક યુવાન નવરીત સિંહનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે નવરીત સિંહ હજુ ત્રણ દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યો હતો,અને તે ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરી રહ્યો હતો, જો કે નવરીતના પરિવારે કહ્યું હતું કે તેના ટ્રેકટર રેલીમાં જવાના અંગે તેમને કોઈ જાણકારી નહોતી.
યુપીના ડીબડીબાના રહેવાસી હતા નવરીત સિંહ
નોંધનીય છે કે ઇંડિંયન એક્સપ્રેસના સમાચાર અનુસાર નવરીત સિંહ યુપીના રામપૂર જિલ્લાના ડીબડિબા ગામના રહેવાસી હતા, અને એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર ગામડાના અમુક લોકો જે દિલ્હી ટ્રેકટર માર્ચમાં સામેલ થવા નીક્ળયા હતા, નવરીત પણ તેની સાથે જ નીકળયા હતા. અધિકારીએ કહ્યું કે જ્યારે હિંસા ભડકી ત્યારે અમુક લોકો ખોટી રીતે સ્પીડમાં ટ્રેકટર ચલાવી રહયા હતા, જેમાં એક ટ્રેકટર બેરિકેડિંગની સાથે અથડાઈ ગયું હતું અને પલટાઈ ગયું હતું. જો કે તેના પછી પોલીસ જ્યારે ત્યાં પહોંચી અને જોયું તો એક વ્યકતિની માથામાં ઇજા થવાના કારણે મોટ થઇ ગઈ હતી.
કાયદાને રદ્દ કરવાની માંગ પર અડ્યા છે ખેડૂત
નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન ગત 63 દિવસથી ચાલી રહ્યું છે અને ખેડૂત સતત 3 કાયદાને રદ્દ કરવા માટે માંગ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ એમએસપી માટે કાયદાની ગેરંટી આપવામાં આવે અને 3 નવા કાયદાને રદ્દ કરવામાં આવે.
લાલ કિલ્લા પર ઉપદ્રવીઓ ધ્વજ સ્તંભ પર પણ ચઢ્યા હતા
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધ્વજ તથા ખેડૂત યુનિયનોના ઝંડા સાથે હજારો ખેડૂતો મંગળવારે ગણતંત્ર દિવસે ટ્રેક્ટરો પર સવાર થઈ રેલી કરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક તોફાની તત્વોએ બેરિયરોને તોડી પોલીસ સાથે બાથ ભીડતા લાલકિલ્લાની ઘેરાબંધી માટે વિભિન્ન સીમા બિંદુઓથી રાષ્ટ્રીય રાજધાનીમાં દાખલ થયા. લાલ કિલ્લા પર ઉપદ્રવીઓ ધ્વજ સ્તંભ પર પણ ચઢ્યા હતા. અનેક સ્થળો પર પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે કેટલીક જગ્યાઓ પર અશાંત ભીડને વિખેરવા માટે આંસૂ ગેસના સેલ પણ છોડ્યા હતા. ત્યારે આઈટીઓ પર સેંકડો અસામાજિક તત્વો પોલીસકર્મીઓ પર લાઠીઓ લઈને દોડતા અને ઉભી રહેલી બસોને પોતાના ટ્રેક્ટરથી ટક્કર મારતા પણ નજરે પડ્યા હતા.
More than 25 criminal cases have been registered by Delhi Police. We are using the facial recognition system and taking the help of CCTV and video footage to identify the accused. No culprit will be spared: Delhi Police Commissioner SN Shrivastava https://t.co/gLmOfI1DqH
બુધવારે દિલ્હી પોલીસે જણાવ્યું કે ગત રેલી દરમિયાન હિંસાને લઈને 22 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ત્યારે ઈન્દ્રપ્રસ્થ પોલીસે પણ અજ્ઞાત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ પ્રદર્શન કારીઓમાં ટ્રેક્ટર ચઢવાના કારણે મરનારા ખેડૂતનું નામ પણ સામેલ છે. આ જાણકારી પોલીસ તરફથી મળી છે. આ ઘટનાઓ બાદ હવે સરકાર અને પ્રશાસન પણ એક્શન મોડમાં નજરે પડી રહી છે.