કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે સિવિલ લાઈનના તીરથરામ શાહ હોસ્પિટલ અને સુશ્રુત ટ્રોમાં સેન્ટર જઈ ગણતંત્ર દિવસ પર ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ પોલીસ કર્મીઓની મુલાકાત કરી અને તેમના હાલ ચાલ પૂછ્યા હતા.
હિંસામાં 394 પોલીસ કર્મીઓ ઘાયલ થયા - પોલીસ કમિશ્નર
હિંસાથી અનેક સાર્વજનિક અને ખાનગી સંપત્તીઓને નુકસાન પહોંચ્યું
પોલીસ કર્મીએ કહ્યું, અમે લોકો લાલ કિલ્લા પર તૈનાત હતા ત્યારે ...
હિંસાથી અનેક સાર્વજનિક અને ખાનગી સંપત્તીઓને નુકસાન પહોંચ્યું
નવા કૃષિ કાયદાના વિરોધની વચ્ચે દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં તોફાની તત્વોએ દિલ્હીમાં પ્રવેશ કરવા માટે બેરિકેડ્સ તોડ્યા હતા અને રાજધાનીના અનેક ભાગોમાં જઈને તોડફોડ કરી હતી. તોફાની તત્વો દ્વારા કરવામાં આવેલી હિંસાથી અનેક સાર્વજનિક અને ખાનગી સંપત્તીઓને નુકસાન પહોંચ્યું હતુ. જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह ने सुश्रुत ट्रॉमा सेंटर में 26 जनवरी को किसानों की ट्रैक्टर रैली के दौरान हुई हिंसा में घायल हुए पुलिस कर्मियों से मुलाकात की। pic.twitter.com/Bt4nvafMVn
વજીરાબાદના પોલીસ સ્ટેશનના એસએચઓ પીસી યાદવે બુધવારે જણાવ્યું કે અમે લોકો લાલ કિલ્લા પર તૈનાત હતા. જ્યારે ઘણા લોકો ત્યાં ઘૂસી આવ્યા અમે તેમને કિલ્લાની પ્રાચીરથી હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે આક્રમક થઈ ગયા હતા. અમે ખેડૂતોની વિરુદ્ધ બળ પ્રયોગ કરવા નહોંતા માંગતા એટલા માટે જેટલો બની શક્યો સંયમ જાળવ્યો હતો.
હિંસામાં 394 પોલીસ કર્મીઓ ઘાયલ થયા - પોલીસ કમિશ્નર
ત્યારે દિલ્હી પોલીસ કમિશનર એસ. એન શ્રીવાસ્તવે બુધવારે કહ્યું કે ગણતંત્ર દિવસની હિંસામાં 394 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. કેટલાક પોલીસ કર્મીઓની હાલત ગંભીર છે તેમને આઈસીયૂ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે. એસ. એન. શ્રી વાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ખેડૂત નેતાઓએ પ્રદર્શનકારીઓને ભડકાવવાનું કામ કર્યુ છે. તેમણે ખેડૂત નેતાઓ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવતા કહ્યું કે પ્લાન અંતર્ગત ઉગ્ર લોકોને આગળ કરી દેવાયા હતા અને બધું જ સુઆયોજિત રીતે કરવામાં આવ્યું હતુ. પોલીસની પાસે એક્શનના તમામ વિકલ્પ હતા પરંતુ સંયમથી કામ લીધું.
પ્રદર્શનકારીઓ નક્કી રુટથી આગળ નિકળી લાલ કિલ્લા સુધી પહોંચી ગયા - શ્રીવાસ્તવ
શ્રીવાસ્તવે કહ્યું કે 25 જાન્યુઆરીથી પ્રદર્શનકારીઓને ભડકાવવાનું કામ કરવામાં આવ્યું હતુ. અનેક સંગઠનોએ દિલ્હી પોલીસ દ્વારા નક્કી રુટ ન લીધો. આ જ કારણ છે કે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ નક્કી રુટથી આગળ નિકળી લાલ કિલ્લા સુધી પહોંચી ગયા.
દિલ્હી પોલીસે 25 FIR દાખલ કરી
દિલ્હી પોલીસ અત્યાર સુધીમાં 25 FIR દાખલ કરી ચૂકી છે. જેમાં 50 ખેડૂત નેતાઓની નામજોગ ફરિયાદ નોંધાયી છે. ત્યારે લગભગ 70 ઉપદ્રવીઓ પર તંગ કસાયો છે. જેમાં લગભગ 20ની ધરપકડ થઈ છે. જ્યારે લગભગ 50 ઉપદ્રવીઓને હજું કસ્ટડીમાં રાખ્યા છે. તેમની પૂછપુરછ કરવામાં આવી રહી છે. બુધવારની મીટિંગમાં દિલ્હી પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે ગૃહ મંત્રી શાહને આ તમામ બાબતોની વિસ્તૃત જાણકારી આપી છે. સીસીટીવી અને વીડિયો ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.