ગુરુવારે યોજાનારી ટ્રેક્ટર રેલીમાં હજારો ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. પોલીસે અંદાજ લગાવ્યો છે કે આ કિસાન માર્ચ દરમિયાન આશરે 2500 જેટલા ટ્રેકટરો તેમાં જોડાયા છે અને આગામી 26 જાન્યુઆરીના રોજ ખેડૂતો રાજપથ પર ટ્રેક્ટર પરેડનું આયોજન કરીને નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરવાની ચીમકી અગાઉથી જ આપી ચૂક્યા છે.
દિલ્હીમાં આજે યોજાઇ રહી છે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ
26 મી જાન્યુઆરીએ ફરીથી ટ્રેકટર પરેડ કરવાનું કર્યું છે આહ્વાન
જરૂર પડી તો મે 2024 સુધી આંદોલન માટે તૈયાર : રાકેશ ટિકૈત
દિલ્હીની સરહદ પર આજે આંદોલન વધુ પ્રબળ બનતું દેખાઈ રહ્યું છે, ખેડૂતોએ મકોડી સરકારને આપેલી ચેતવણી પ્રમાણે આજે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું, સાથે જ ખેડૂત નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે આ આંદોલનને મે 2024 સુધી પણ ખેંચવા માટે તૈયાર છીએ, મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વદપણ હેઠળની આ સરકારનો બીજો કાર્યકાળ પણ 2024માં પૂરો થનાર છે, જો કે કાલે 8 મી તારીખે સરકાર અને ખેડૂતો વચ્ચે 9 માં તબક્કાની બેઠક યોજાવા જઈ રહી છે, જેના પરિણામ ઉપર બધાની નજર રહેશે.
ગુરુવારે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે સરકારને ચેતવણી આપવા માટે આ રેલી કાઢી રહ્યા છીએ. 26 જાન્યુઆરીએ રાજપથ પર વધુ એક ટ્રેક્ટર માર્ચ કરીશું. તેમણે કહ્યું કે અમે મે, 2024 સુધી આંદોલન કરવા માટે તૈયાર છીએ. આ ઉપરાંત, યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે આજની આ ટ્રેક્ટર રેલી 26 મી જાન્યુઆરીની ટ્રેક્ટર રેલી માટેનું ટ્રેલર હશે.
ગુરુવારે યોજાયેલ ટ્રેક્ટર રેલીમાં હજારો ખેડૂતોએ ભાગ લીધો હતો. પોલીસે અંદાજ લગાવ્યો છે કે માર્ચ દરમિયાન લગભગ 2500 ટ્રેકટરો રસ્તાઓ પર આવી ગયા હશે. સોમવારે ખેડૂતો અને સરકાર વચ્ચે આઠમા રાઉન્ડની ચર્ચા યોજાઇ હતી, પરંતુ આ દરમિયાન પણ સમસ્યાનું કોઈ સમાધાન મળી શક્યું નથી. આ બેઠકમાં, ખેડૂતોએ નવા કૃષિ કાયદા પાછા લેવા અને MSP માટેની કાયદાકીય ગેરેન્ટી માંગી હતી.
સુપ્રીમ કોર્ટે સરકારને ચેતવણી આપી છે
ગુરુવારે સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો છે કે નિઝામુદ્દીન મરકજ અને કોવિડ -19 વચ્ચે આ વર્ષથી તમે શું શીખ્યા ?સુપ્રીમ કોર્ટે આશંકા વ્યક્ત કરી છે કે જો સાવચેતી ન રાખવામાં આવે તો આંદોલનકારી ખેડૂતોમાં પણ આવી જ સ્થિતિ સર્જાઇ શકે છે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસીટર જનરલ તુષાર મહેતાને રાજધાની દિલ્હીની સરહદો પર ચાલતા આંદોલન અંગે પૂછપરછ કરી છે. કોર્ટે મહેતાને કહ્યું, 'તમારે અમને કહેવાનું છે કે શું ચાલી રહ્યું છે?'
ખંડપીઠે પૂછ્યું હતું કે, દિલ્હીની જુદી જુદી સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતો કોવિડ -19 ને રોકવા માટે સાવચેતી રાખી રહ્યા છે કે કેમ ?આ અંગે સોલિસિટર જનરલે નકારાત્મક જવાબ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, અહીં પણ ગયા વર્ષના માર્ચ મહિનામાં નિઝામુદ્દીન મરકજ જેવી પરિસ્થિતિ થઈ શકે છે. જો કે મહેતાએ પરિસ્થિતિ અંગે માહિતી આપવાની ખાતરી આપી છે. મહત્વનું છે કે આ સિવાય ખેડૂત આંદોલન સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી એકીસાથે 11 મી જાન્યુઆરીએ કરવાનું સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે.