સ્વામી નિત્યાનંદના અમદાવાદ આશ્રમમાંથી ગાયબ થયેલી યુવતીને મેળવવા માટે તેના માતા-પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી કરી હતી જેને પગલે 26મી નવેમ્બરના રોજ યુવતીઓને અદાલતમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતુ પરંતુ યુવતીઓ હાજર રહી ન હતી અને તેના વકીલ દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. જો કે, અદાલતે તમામ દલીલોને અંતે યુવતીઓને અદાલતમાં હાજર કરવાનું જ ફરમાન કર્યુ હતુ આ કેસના આગામી સુનાવણી 10મી ડિસેમ્બરના રોજ છે.
આગામી 10મી ડિસેમ્બરે થશે સુનાવણી
યુવતીઓના સોશિયલ મીડિયા ઉપરની હાજરી અદાલતે નકારી
પોલીસની ઝાટકણી કાઢી યુવતીઓને હાજર કરવા કહ્યુ
જનાર્દન શર્માની પુત્રીઓને કોર્ટમાં હાજર કરો : હાઈકોર્ટ
નિત્યાનંદ આશ્રમ મુદ્દે હેબિયસ કોર્પસના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. હાઇકોર્ટે જણાવ્યુ હતું કે જનાર્દન શર્માની બંને પુત્રીઓને કોર્ટમાં રજૂ કરો. પુત્રીઓને શોધીને કોર્ટમાં રજુ કરવામાં આવે. તપાસ એજન્સીને કોર્ટે કહ્યું કોર્ટમાં હાજર કરો. તો આ તરફ આશ્રમના વકીલે જણાવ્યુ હતું કે યુવતીઓ પુખ્ત વયની છે, પોતાનો નિર્ણય લઈ તે લઇ શકે છે.
10 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
અમારી ચિંતા પોલીસ તપાસ પર છે. તો આ મામલે ફરીયાદીના વકીલે જણાવ્યુ હતું કે બંને યુવતીઓએ 30 વીડિયો જાહેર કર્યા છે. તો હાઇકોર્ટે જણાવ્યુ હતું કે વીડિયો સાથે અમારે કોઈ લેવાદેવા નથી. કોર્ટમાં યુવતીઓને રજૂ કરવામાં આવે. યુવતીઓને હાજર કરવા પોલીસને કોર્ટે આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
નિત્યાનંદ વિરૂધ્ધ લખાઈ ફરિયાદ
અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમના વિવાદનો મામલે પોલીસે તપાસ તેજ કરી છે અને તપાસના તાર કર્ણાટક સુધી લંબાવ્યા છે જો કે પોલીસને હજુ સુધી નિક્યાનંદનું લોકેશન નથી મળ્યું. હાલ પોલીસે નિત્યાનંદ સામે અત્યારસુધી થયેલા તમામ કેસની વિગત મંગાવી છે.
યુવતીઓ કે નિત્યાનંદ કોઈના લોકેશન નથી મળતા
નિત્યાનંદ સામે વર્ષ 2016માં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. ત્યારે હવે નિત્યાનંદ વિદેશ ભાગી ગયો હોવાનું પોલીસનું માનવું છે. નિત્યાનંદ એવા દેશમાં છૂપાયો હોવાની શક્યતા છે જ્યાં પ્રત્યાર્પણ સંધિ ન કરી હોય. ઉપરાંત યુવતીનું પણ પોલીસને લોકેશન હજુ સુધી નથી મળ્યું. પેડ પ્રોક્સી સર્વરને ક્રેક કરવું મુશ્કેલ હોવાથી પોલીસને લોકેશન નથી મળી રહ્યાં. અને યુવતીઓ આરોપ ન હોવાથી તેમની સામે લૂક આઉટની પણ કાર્યવાહી ન થઇ શકે.
અમદાવાદ આશ્રમની સંચાલીકા
અમદાવાદ નિત્યાનંદ આશ્રમના વિવાદમાં સડોવાયેલ બન્ને સાધ્વીઓને આજે ક્રોર્ટમાં રજૂ કરાશે. મેડિકલ તપાસ કરાવી કોર્ટમાં રજૂ કરાશે. બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે.