જાપાનમાં ટોયોટાના એક કર્મચારીએ બોસથી કંટાળીને 2010માં કરી હતી આત્મહત્યા. હવે કોર્ટે આદેશ આપ્યો છે કે આત્મહત્યાનું કારણ ભારે ટ્રેસ હતો.
ટોયોટા પર કર્મચારી દ્વારા કેસ
ત્રાસ અને સ્ટ્રેસ આપવાનો આરોપ
કર્મચારીએ કરી આત્મહત્યા
ટોયોટા કંપની હાલમાં જ એક કેસમાં ફસાઈ હતી. જેમાં કંપનીના એક કર્મચારીએ આત્મહત્યા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કંપની તેને વધારે કામ કરાવે અને ત્રાસ આપે છે. જાપાની વાહન નિર્માતા કંપવી ટોયોટા મોટર કોર્પોરેશનના પ્રેસિડન્ટ અકિઆ ટોયોડાએ મૃતકના પરિવાર પાસે માફી માંગી છે. આ સેટલમેન્ટ કઈ કિમત પર થયું છે અત્યાર સુધી તેની કોઈ જાણકારી નથી મળી. જાપાની મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે કર્મચારીના પરિવારે કંપની પર 123 મિલિયન એટલે કે 1.1 મિલિયન ડોલરનો કેસ દાખલ કર્યો હતો.
2020માં ઓવરવર્ક બાદ સુસાઈડની 2,835 ફરિયાદ
રિપોર્ટ્સ સાથે વાત કરતા મૃતકની પત્નીએ કહ્યું કે મે મારા પતિની તકલીફને મહેસુક કરી છે અને તેમનું માનવું છે કે ટોયોટાની પાસે વસ્તુ સારી કરવા માટેની તક છે. ટોયોટાએ વચન આપ્યું હતું કે આ મામલાની તરાસ કરવામાં આવશે અને આગળ પણ આમ ન થાય તેના માટે પગલાં ભરવામાં આવશે.
ત્યાર બાદ કંપનીએ તેમના પરિવારને થયેલી તકલી માટે માફી માંગી હતી. 2020માં સરકારની સામે ઓવરવર્ક બાદ સુસાઈડની 2,835 ફરિયાદ મળી હતી જેમાંથી 800 કેસમાં વળતર આપવામાં આવ્યું હતું.
જાપાનમાં સ્ટ્રેસના કારણે આત્મહત્યા સામાન્ય વાત
ટોયોટાએ પોતાના નિવેદનમાં કહ્યું, "હવે અમે કામનું વધુ પારદર્શી વાતાવરણ તૈયાર કરીશુ અને જ્યાં એક કર્મચારીને પોતાનીવાત મુકવાનો મોતો મળશે અને અહીંનું મેનેજમેન્ટ હેરાસમેન્ટને સંપૂર્ણ રીતે ખતમ કરવાનું કામ કરશે. એવામાં દરેક કર્મચારી વગર કોઈ ડરે કામ કરી શકશે." જાપાનમાં લોકોની વચ્ચે કામ કરવાનું જનૂન છે અને અહીં વધુ કામ કરવા અને સ્ટ્રેસના કારણે કરવામાં આવતી આત્મહત્યા સામાન્ય વાત છે. અહીંના બોસનું ખરાબ વર્તન પણ હવે લોકોનું ધ્યાન ખેચી રહ્યું છે.
આત્મહત્યાનું કારણ કામનું ભારે સ્ટ્રેસ
2010માં એમ્પ્લોઈના સુસાઈડના કેસમાં નાગોયા હાઈ કોર્ટે આદેશ આપ્યો હતો કે આત્મહત્યાનું કારણ કામ વખતે ભારે સ્ટ્રેસ હતો. 2019માં પણ ટોયોટાએ માન્યું હતું કે 2017માં 28 વર્ષના એન્જિનિયર દ્વારા કરવામાં આવેલુ સુસાઈડ બોસ દ્વારા પરેશાન કરવામાં આવ્યા બાદ કરવામાં આવ્યું હતું.
જાપાનના લોકો પોતાની કંપનીને લઈને ખૂબ જ ઈમાનદાર માનવામાં આવે છે. ભલે તેમના માટે તેમની પર્સનલ ડિસ્ટર્બ થતી હોય. આજ કારણ છે કે ત્યાં દરેક કર્મચારી પાસે એક જેવું કામ કરાવવા પર ભાર મુકવામાં આવે છે.