ગુજરાતની નદીઓ પ્રદૂષણ મામલે સમગ્ર દેશમાં ચોથા નંબર પર છે. ત્યારે નદીઓ ઉદ્યોગોના કચરાના કારણે પ્રદૂષિત બની છે. જામનગરના બેડ ગામ નજીક નદીમાં પ્રદૂષિત કેમિકલ ઠલવાયુ છે. કેમિકલ ભરેલા બેરલો ઠાલવી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતાં. ઝેરી કેમિકલ જાહેરમાં ઠલવાતા તંત્ર દોડતુ થયુ હતું. સિક્કા પોલીસ અને વન વિભાગ હરકતમાં આવી ગયુ હતું. જાહેરમાં કેમિકલ ઠાલવવા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતાં કે આધુનિક જમાનામાં તમામ સુવિદ્યાઓ અને CCTV કેમેરા હોવા છતાં તંત્ર અજાણ આ ફરાર શખ્સોથી અજાણ છે, જ્યારે શહેરમાં ખુલ્લે આમ આવી કોઇ હરકત થાય તો ક્ષણવારમાં જાણકારી મળી જવી જોઇએ. બાકી તો કોઇપણ જાહેરમાં ગમે તે હરકત કરી શકે છે.
પાણીનું પ્રદૂષણ અટકાવા લોકજાગૃતિ જરૂરી
પ્રદૂષણ મામલે ગુજરાતની નદીઓ ચોથા સ્થાને આવે છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ હવે પોતાનો લૂલો બચાવ કર્યો હતો. પ્રદૂષિત નદીઓને લઈને GPCBએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યની 20 નદીઓ નહીં પરંતુ 14 નદીઓ જ પ્રદૂષણની યાદીમાં સામેલ છે. પરંતુ નદીઓમાં કેમિકલ ઠાલવી પ્રદૂષણ ફેલાવતી નદીઓ સામે GPCB આગામી કડક કાર્યવાહી હાથ ધરશે. પરંતુ હજુ સુધી કાર્યવાહી ન થઇ હોય તેવું સામે આવી રહ્યું છે. અનેક નદીઓમાં આ પ્રકારે ઝેરી કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રદૂષણને અટકાવવા માટે લોકજાગૃતિ જરૂરી છે.
આ કેમિકલથી અનેક ચામડીના અને ગંભીર બિમારીઓનો ખતરો છે. આ પ્રદૂષણથી કોઇ મોટી દુર્ઘટના બને તો કોણ જવાબદાર? શું આવી રીતે જળસંકટ વચ્ચે નદીઓને પ્રદૂષિત કરી દેવામાં આવશે?