પુરતી મેઘમહેર અને રવિવારની રજાને પગલે આજે બનાસકાંઠાના બાલારામ, હાથિદ્રા,વિશ્વેશ્વર સહીતના સ્થળોએ પર્યટકોની ભારે ભીડ જામી હતી.
બનાસકાંઠાના પીકનીક સ્થળો પર પર્યટકોનો ભારે ધસારો
બાલારામ, હાથિદ્રા,વિશ્વેશ્વર, કેદારનાથ સહિત સ્થળો પર પ્રવાસીઓ ઉમટ્યા
આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા
બનાસકાંઠામાં વરસાદ બાદ અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેને પગલે બનાસકાંઠાના પહાડી વિસ્તાર બાલારામ, વિશ્વેશ્વર, હાથીદરા, કેદારનાથ સહિત પિકનિક સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બનાસકાંઠામાં પુષ્કળ મેઘ મહેરને લઈને અનેક નદી, ઝરણાઓ વહેતા થયા છે. વધુમાં વિશ્વેશ્વર નદીમાં પાણી આવતા મોટી સંખ્યામાં લોકોએ ન્હાવાની મજા માણી હતી.
વિશ્વેશ્વર, કેદારનાથમાં પ્રવાસીઓનો ધસારો
બનાસકાંઠામાં વરસાદ બાદ અરવલ્લીની ગિરિમાળાનું પ્રાકૃતિ સોંદર્ય ખીલી ઉઠ્યુ છે. જેને લઇને પર્યટકો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન ઉપરાંત આજે રવિવાર હોવાથી બનાસકાંઠાના પહાડી વિસ્તાર બાલારામ વિશ્વેશ્વર, હાથીદરા કેદારનાથ સહિતના ફરવા લાયક સ્થળો પર લોકો પરિવાર સાથે ઉમટી પડ્યા હતા અને અનેક નદી ઝરણાઓ છલકાયા હોવાથી લોકો એ નદીમાં ઝરણાઓમાં નહાવાની મજા માણી હતી. આ ઉપરાંત વિશ્વેશ્વર નદીના જળપ્રવાહમાં લોકોએ ન્હાવાની મોજ માણી હતી.
નદી-ઝરણાઓ છલકતા પ્રવાસીઓ માણી રહ્યા છે મજા
મહત્વનું છે કે લાંબા સમયથી કોરોના કહેરને લઈને લોકોએ પ્રવાસના આયોજનો મૌકુફ રાખ્યા હતા. ત્યારે હવે એક બાજુ તહેવારોની સીઝન કોરોના કહેર ઘટતા તથા પૂરતા પ્રમાણમાં મેઘમહેર થતા લોકો મોટી સંખ્યામાં પ્રવાસન સ્થળોએ ઉમટી રહ્યા છે. જેને લીધે બાલારામ, કેદારનાથ સહીતના સ્થળોને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા સ્થાનિક વેપારીઑને પણ મોટી કમાણીની આશા જન્મી હતી.