અમદાવાદઃ દિવાળીના પર્વમાં અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે યાત્રીકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ બિહાર કે રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. આ ભીડને કંટ્રોલ કરવા પોલીસ સ્ટાફ પણ ઓછો પડી રહ્યો છે.
ત્યારે બીજી તરફ રેલ્વે તંત્ર તરફથી દુરન્દો શતાબ્દી ડબલ ડેકર જેવી ટ્રેનો કે જેમાં પ્રવાસીઓની સંખ્યા બહુ ઓછી હોય છે. છતાં આવી ટ્રેનો માટે વિશેષ સુવિધાઓ કરાય છે પણ બિહાર કે ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનોમાં નવા ડબ્બા નથી જેથી પ્રવાસીઓએ ઘણી હેરાનગતી ભોગવવી પડે છે.
જ્યારે બજેટ આવે છે ત્યારે રેલવે માટે ફળવાયેલા કરોડોના આંકડાઓ ખરેખર કેટલા સાર્થક છે તે જોવા અને સરકારની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. તે જોવા માટે જ્યારે આપણે દિવાળીના દિવસોમાં કાલુપુર જેવા રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈએ ત્યારે જ ખ્યાલ આવે કે બજેટમાં દર્શાવવામાં આવેલા આંકડાઓ માત્ર એક માયાજાળ હતી. કેમ કે જ્યારે પ્રવાસી તહેવારમાં પોતાના વતન તરફ જવા માંગે છે. ત્યારે તેની કેવી પરિસ્થિતિ હોય છે તે આ દ્વશ્ય જોઈ અને પ્રજાની હેરાનગતી જોઈને જ આપને ખ્યાલ આવશે.
રોજે રોજ હજારોની સંખ્યામાં હેરાફેરી કરતા યાત્રીકોને કાલુપુર સ્ટેશન પર બેસવા માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી. આ દ્વશ્યો જોઈને એક સમય તો લાગે કે આ દ્વશ્યો યુપી કે બિહારના હશે. પણ ના આ દ્વશ્યો વિકસીત મોડલ ગુજરતના ધમધમતા શહેર અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના છે. જ્યાં મોટી સંખ્યામાં યાત્રીકો ટ્રેનની રાહ જોઈ જાહેર જગ્યામાં સુતેલા કે લાચાર થઈને બેઠાલા નજરે પડે છે.