અમદાવાદઃ અચ્છે દિનના વાયદા કરનારી મોદી સરકારના શાસનમાં બેફામ મોઘવારીના લીધે દરેક વર્ગની વ્યક્તિના ઘરના બજેટ ખોરવાયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં તો રોજ ભડકો થઇ જ રહ્યો છે. તેવામાં હવે દાળ- કઠોળ ચોખા શાકભાજી જેવી રોજિંદા જરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં ભાવનો વધારો તોળાય રહ્યો છે.
ગરમીને કારણે શાકભાજીના ભાવ પહેલેથી જ ભડકે બળ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનો ભાવ સતત 15 દિવસથી વધી રહ્યો છે. અને હવે કઠોળમાં પણ લાગુ પડી શકે છે ભાવ વધારાનો ડોઝ આગામી દિવસોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાય શકે છે.
હાલના સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે હવે આગામી દિવસોમાં કઠોળના ભાવમા 5 ટકા જેટલો વધારો થાય તેવી શક્યતા છે. હાલના સમયમાં તુવેર દાળનો ભાવ 56થી 60 રૂપિયા છે. જે હવે વેધીને 65 રૂપિયા થઈ શકે છે. અડદ દાળનો ભાવ 76 રૂપિયા છે. જે વધીને હવે 80 રૂપિયા સુધી થઈ શકે છે. મસુરનો ભાવ 65થી 70 રૂપિયા છે. જે હવે વધીને 75 રૂપિયા થઈ શકે છે.
ચણાનો ભાવ 50થી 55 રૂપિયા છે. જે હવે વધીને 60 રૂપિયા થઈ શકે છે. મગ દાળનો હાલનો ભાવ 70થી 80 રૂપિયા છે. જે હવે વધીને 85 રૂપિયા શઈ શકે છે. વટાણાનો હાલમાં 55થી 65 રૂપિયા ભાવ છે. જે હવે વધીને 70 રૂપિયા થઈ શકે છે. જ્યારે રાજમાનો હાલનો ભાવ 80થી 90 રૂપિયા છે. જે હવે વધીને 95 રૂપિયા થઈ શકે છે.