કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આર્થિક મંદી પર વાત કરી. એમને આ સમયને મુશ્કેલ સમય જણાવ્યો અને કહ્યું કે એમાં વધારે ટેન્શન લેવાની વાત નથી, સમય જલદીથી પસાર થઇ જશે. ઑટોમોબાઇલ સેક્ટરને વધારે ચિંતા નહીં કરવાની સલાહ આપી.
અર્થવ્યવસ્થામાં મંદીને લઇને ગડકરીએ કહ્યું ખરાબ સમય પસાર થઇ જશે
નીતિન ગડકરીએ ઑટો સેક્ટરને લઇને કહ્યું 'કભી ખુશી કભી ગમ' ચાલ્યા કરે છે
શનિવારે મંદીથી નિપટવા માટે હાઉસિંગ અને એક્સપોર્ટ સેક્ટરમાં ઘણી જાહેરાત થઇ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અર્થવ્યવસ્થામાં મંદીના સમયની વચ્ચે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે ઉદ્યોગોએ પરેશાન થવાની જરૂર નથી કારણ કે મુશ્કેલ સમય પસાર થઇ જશે. એમને આ સમયને ખરાબ સમય કહ્યો અને કહ્યું કે આ પણ પસાર થઇ જશે. ઑટોમોબાઇલ સેક્ટરને વધારે ચિંતા નહીં કરવાની સલાહ આપી.
ગડકરીએ વિદર્ભ ઉદ્યોગ સંધના 65માં સ્થાપના દિવસ પર નાગપુરમાં કહ્યું કે મને ખબર છે કે ઉદ્યોગ ખૂબ જ કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યા છે. અમે વૃદ્ધિ દર વધારવા ઇચ્છીએ છઈએ. એમને કહ્યું કે તાજેતરમાં જ એ ઑટોમોબાઇલ નિર્મતાઓને મળ્યા હતા અને તેઓ થોડા ચિંતામાં હતા. નીતિન ગડકરીએ કહ્યું કે મે એમને કહ્યું, કભી ખુશી હોય છે તો કભી ગમ હોય છે. ક્યારેક તમે સફળ થાવ છો તો ક્યારેક તમે અસફળ થાવ છો. આ જીવન ચક્ર છે.
જણાવી દઇએ કે છેલ્લા કેટલાક મહિનાથી ઑટો સેક્ટરનો ગ્રોથ ખૂબ જ ધીમો છે. જે કારણે ગાડીઓના વેંચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે જ મંદીને નિપટવા માટે કેન્દ્ર સરકારે કેટલાક પગલા ભર્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા હાઇસિંગ અને એક્સપોર્ટ સેક્ટરમાં કેટલીક મોટી જાહેરાત કરી હતી.
નાણામંત્રી દ્વારા હાઉસિંગ સેક્ટર માટે 10 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. આ ઉપરાંત નિર્યાતને પ્રોત્સાહન આપવા માટે સરકારે પણ ઘણી જાહેરાત કરી છે. સીતારમણે જણાવ્યું કે આવતા વર્ષે માર્ચ મહિનાથી દેશના ચાર શહેરોમાં મેગા શૉપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે.