ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગ પરિસ્થિતીમાં ભારતની સૂડી વચ્ચે સોપારી જેવી થઇ ગઈ છે. ઇરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની દુશ્મનાવટમાં કોઈ વધારો થતાં ભારતને તેની ખૂબ મોટી અસર થઈ છે. જોકે સરકાર તો ઠીક પણ આનો સીધો અસર સામાન્ય લોકોને થશે.
ઇરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે દુશ્મની
ભારત પર પડશે અસર
twitter પર 'વર્લ્ડ વોર ૩' નામનું હેશટેગ(#) વાયરલ થઇ રહ્યો છે
પેટ્રોલ અને ડિઝલના વધશે ભાવ
ભારત પર અમેરિકાના જબરદસ્ત દબાણ
આ મામલો ભારતના ઈરાનમાંથી ક્રૂડ ઓઇલની આયાતનો છે. સાઉદી અરેબિયા, ઇરાક, નાઇજીરીયા અને વેનેઝુએલાના ઉપરાંત ભારતમાં ૧૨% તેલ ઈરાનથી આવે છે. સરકારે જે માહિતી આપી હતી તેના મુજબ ગયા વર્ષે ભારતે ઈરાનથી 7 અરબ ડોલરનું ક્રૂડ તેલ આયાત કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભારત પર ઈરાનથી ક્રૂડ ઓઇલની આયાત કરવાનું બંધ કરવા માટે અમેરિકાના જબરદસ્ત દબાણ છે.
ભારતમાં ક્રૂડ તેલ
મહત્વની વાત એ છે કે ઇરાનથી ભારતમાં ક્રૂડ તેલ લાવવાનો ખર્ચ અન્ય દેશોથી ઓછો છે અને ચુકવણી માટે વધુ સમયમર્યાદા આપે છે. આ ઉપરાંત ભારતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને ઈરાનના ચાબહાર બંદરમાં લાખો યુએસ ડોલરનું રોકાણ કર્યું છે. ઈરાનના વિશાળ કુદરતી ગેસ ભંડાર અને ભારતમાં તેની વધતી જરૂરિયાતોને પણ અદ્રશ્ય ના કરાય.
ભારત અને ઈરાનની મિત્રતા
ભારત અને ઈરાનની મિત્રતાના બે મુખ્ય પાયા છે એક છે ભારતમાં energy ની જરૂરિયાત તથા ઇરાન પછી દુનિયાની સૌથી વધુ શિયા મુસ્લિમની વસ્તી.
એવું સાંભળવામાં આવ્યું છે કે જયારે યુ.એસ.એ ઈરાનથી તેલ આયાત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો તે પછી ભારતે પણ તેની પેટ્રોલિયમ રિફાઇનરીઓને "અન્ય વ્યવસ્થા માટે તૈયાર રહેવા" કહ્યું છે.
ભારત પર અસર
નોમુરાના એક રિપોર્ટ અનુસાર ક્રૂડના ભાવમાં દર એક બેરલ પર ૧૦ ડોલર વધારવામાં આવ્યા છે જેનો સીધો અસર ભારતના સામાન્ય લોકોને પડશે. તેલના વધતા ભાવો ભારતને વતાવે છે જ્યાં પહેલેથી વિશ્લેષકો ખાદ્યપદાર્થોના વધતા ભાવોને લઈને ચિંતિત છે. આવી પરિસ્તીથીમાં શું કરશે ભારત અને તેમાં રહેતા સામાન્ય લોકો. વધી શકે છે પેટ્રોલ અને ડિઝલના ભાવ જેથી સામાન્ય માણસના ખિસ્સા પર પડશે ભાર.