ઘણા જ્યોતિષીય ઉપાયોમાં દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ચંદ્રમા અને શુક્રનો કારક બતાવવામાં આવ્યો છે. આ નાના ઉપાયોથી ગ્રહદોષ નહી રહે.
દૂધથી કરી લો આ નાનકડો ઉપાય
નોકરી ધંધામાં આવશે જોરદાર બરકત
ગ્રહદોષ પણ થઇ જશે દૂર
આ રીતે દૂર કરો ગ્રહદોષ
જન્મ કુંડળીમાં જો કોઇ પણ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો સોમવારે સ્નાન કરીને નજીકના શિવમંદિરે જાઓ અને શિવલિંગ પર કાચુ દૂધ ચડાવો. આ ઉપાય સતત 7 સોમવાર કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને કુંડળીમાં જો કોઈ ગ્રહ અશુભ પરિણામ આપી રહ્યો હોય તો તે પણ શાંત થઈ જાય છે.
દેવી લક્ષ્મીના આહ્વાન માટે
જો તમે ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ કરવા માંગતા હોવ તો લોખંડના વાસણમાં ખાંડ, દૂધ અને ઘી મિક્સ કરો. આ મિશ્રણને પીપળના ઝાડના મૂળમાં નાખો અને દેવી લક્ષ્મીનું આહ્વાન કરો. આમ કરવાથી તમારા ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ થાય છે. આ ઉપાય કોઈપણ શનિવારે શરૂ કરો અને 45 દિવસ સુધી સતત કરો.
વેપારમાં પ્રગતિ માટે
સોમવારે શિવલિંગ પર દૂધ મિશ્રિત જળથી અભિષેક કરો અને રુદ્રાક્ષની માળા સાથે ઓમ સોમેશ્વરાય મંત્રની માળાનો જાપ કરો. આનાથી તમને ફાયદો થશે અને વેપારમાં પ્રગતિની તકો રહેશે. આ ઉપાય કરવાથી રાહુ અને ચંદ્ર સંબંધિત દોષો પણ ઓછા થાય છે. આ ઉપાયો ખૂબ જ સરળ છે, કોઈપણ કરી શકે છે. દૂધમાં હળદર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવાથી ગુરુ ગ્રહ સંબંધિત દોષો દૂર થાય છે.