કારતક મહિનો હિન્દુ ધર્મમાં મહત્વનો માનવામાં આવે છે. કારતક મહિનાની પૂનમ ભગવાન વિષ્ણુ અને તુલસીની પૂજા માટે સૌથી મહત્વની માનવામાં આવી છે.
કારતક પૂનમના દિવસે કરી લો આ કામ
અમીર બનતા કોઇ નહી રોકી શકે
આ ટોટકા અપનાવી લો એટલે થઇ જશો અમીર
આ દિવસે કરવામાં આવેલી પૂજાથી અઠળક ફાયદા થાય છે. આ વર્ષે, 19 નવેમ્બર, 2021, શુક્રવાર, કારતક પૂર્ણિમા છે. ખાસ કરીને પૈસાની તંગીનો સામનો કરી રહેલા લોકો માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે કરવામાં આવેલ ધન-લાભના ઉપાયો જલ્દી જ તેની અસર દર્શાવે છે.
કાર્તિક પૂર્ણિમાના રોજ વ્રત રાખો, તે અગ્નિસ્તોમ યજ્ઞ કરવા જેવું જ ફળ આપે છે. તેની સાથે જ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પૈસાની તંગી દૂર કરે છે.
કારતક પૂર્ણિમાના દિવસે તુલસીજીની પૂજા કરો. તેનાથી અનેક જન્મોના પાપોનો નાશ થશે.
જો તમે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઈચ્છતા હોવ તો ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવો. પૈસાની તંગી દૂર થવામાં વધુ સમય નહીં લાગે.
પૂર્ણિમાના દિવસે ચંદ્ર તેના આકારમાં હોય છે. આ દિવસે, ચંદ્રના ઉદયની સાથે જ, છ તપસ્વી શિવાય, સંભૂતિ, પ્રીતિ, સંતતિ, અનસૂયા અને ક્ષમાની પૂજા કરો, જેઓ ભગવાન કાર્તિકની માતા માનવામાં આવે છે. ઘરમાં પૈસા અને ભોજનની ભરમાર રહેશે.
કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવતાઓ પણ દીવો પ્રગટાવીને દીપાવલી ઉજવે છે.
આ દિવસે દીવો દાન કરવાથી મોક્ષ મળે છે. આવા લોકો જેમના પર દેવું છે, તેમણે કારતક પૂર્ણિમાના દિવસે દીવાનું દાન કરવું જોઈએ, જલ્દી જ તેમને દેવાથી મુક્તિ મળશે.
એવું કહેવાય છે કે કારતક પૂર્ણિમાના દિવસે દાન કરવાથી 10 યજ્ઞો જેટલું ફળ મળે છે. તેથી તમારી ક્ષમતા અનુસાર દાન કરો.