ભારતમાં ઓમિક્રોનનો આંકડો 300ને પાર પહોંચતા દેશ માટે કપરો સમય તો હવે આવ્યો છે.
ભારતમાં ઓમિક્રોનનો આંકડો 300ને પાર
2 ડિસેમ્બરે ભારતમાં કર્ણાટકમા ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો હતો
17 રાજ્યોમાં ફેલાયો ઓમિક્રોન
ભારત માટે સાચવવા જેવો સમય તો હવે આવ્યો છે. 21 દિવસ પહેલા એટલે કે 2 ડિસેમ્બરે ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો ત્યારથી આજે કુલ કેસનો આંકડો 300ને પાર પહોંચતા હવે ભારત માટે ખરો સમય આવ્યો છે. 21 દિવસ પહેલા શરુ થયેલો ઓમિક્રોન હવે દેશમાં ગંભીર સ્તરે પહોંચ્યો છે અને રોજબરોજ તેના કેસ નોંધાઈ રહ્યાં છે. ઓમિક્રોન ઘાતક નથી પરંતુ 70 ઘણો વધારે ચેપી છે તેથી આગામી દિવસમાં તેના કેસમાં હજુ ઘણો વધારો થઈ શકે છે.
17 રાજ્યોમાં ફેલાયો ઓમિક્રોન
હાલમાં 17 રાજ્યોમાં નવો વેરિયન્ટ ફેલાયો છે. તમિલનાડુમાં ગુરુવારે ૩૩ નવા કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં 12 અને કેરળમાં 5 નવા કેસ મળી આવ્યા છે. આ સાથે દેશમાં આ વેરિએન્ટમાંથી ચેપના કુલ કેસોની સંખ્યા 307 સુધી પહોંચી ગઈ છે.
ઓમિક્રોન ગંભીર બનતા કેન્દ્રને રાજ્યોની બીજી ચેતવણી, લાગુ પાડો નાઈટ કર્ફ્યુ
ભારતમાં ઓમિક્રોન હવે ગંભીર સ્તરે પહોંચતા કેન્દ્ર સરકારે રાજ્યોની બીજી વાર મોટી ચેતવણી આપીને નાઈટ કર્ફ્યુ અને બીજા કડક પ્રતિબંધો લાગુ પાડવાની તાકીદ કરી છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલી સલાહ
- તહેવારો પહેલા નાઈટ કર્ફ્યુ અને બીજા પ્રતિબંધો લાગુ પાડો
- ભીડે ભેગી ન થાય તેવું ધ્યાન રાખો
- કેસ પોઝિટીવીટી, ડબલિંગ રેટ, કોરોના ક્લસ્ટર પર નજર રાખો
100 ટકા વેક્સિનેશનની ખાતરી કરો
કેન્દ્ર સરકારે રાજ્યોને 100 ટકા વેક્સિનેશનની ખાતરી કરવાની પણ તાકીદ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્યોએ ડોર ડૂ ડોર કેમ્પેઈન ઝડપી બનાવવું જોઈએ.