દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 3 લાખને પાર પહોંચી ચુકી છે. ત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં એક લાખને પાર પહોંચી ચૂકી છે.
દેશમાં કોરોના વાયરસનો કહેર
કુલ દર્દીઓની સંખ્યા 3 લાખને પાર
મહારાષ્ટ્રમાં એકલાખ કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો એક લાખને પાર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3493 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ મુંબઇમાં ગત 24 કલાકમાં 1366 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ 90 લોકોના મોત થયાં છે. તો કુલ દર્દીઓની સંખ્યા 101141 થઇ ચુકી છે.
અત્યાર સુધીમાં 3717 લોકોએ ગુમાવ્યો જીવ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે મરનારની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં 127 લોકોના મોત થયાં હતા. આમ અત્યાર સુધીમાં કોરોનાને કારણે 3717 લોકોએ જીવ ગુમાવવો પડ્યો.
જાણો ગુજરાતમાં છે કેવા હાલ...
The total number of #COVID19 positive cases in Maharashtra crosses 1 Lakh, stands at 1,01,141 after 3493 positive cases were reported today. Total death toll stands at 3717 out of which 127 were reported today: State health department pic.twitter.com/VdvLCGM9oD
ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 495 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 22,665 થઇ છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 31 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1416 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે તો 5645 લોકો સ્ટેબલ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 327 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 327 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 77 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 15,501 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.