મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના કેસને લઈને વધુ 2 જિલ્લાઓમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના
2 જિલ્લામાં લોકડાઉન
બીડ,નાદેડમાં લોકડાઉન
મહારાષ્ટ્ર સરકારે વધુ બે જિલ્લામાં લગાવ્યુ લોકડાઉન
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નંદેડ અને બીડમાં 4 એપ્રિલ સુધી લોકડાઉન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પાબંધીઑ આજ રાતથી લાગુ કરવામાં આવશે.
Lockdown to be imposed in Beed district of Maharashtra from 26th March to 4th April.
આ પ્રતિબંધોમાં દૂધ, શાકભાજીની દુકાનોને સવારે 7થી બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પહેલેથી જ વીકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.
એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં 132 લોકોના મોત
નોંધનીય છે કે મરાઠાવાડાના પરભણીમાં પહેલા એક સપ્તાહ સુધી લોકડાઉન કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. અધિકારીઑએ આપેલી જાણકારી અનુસાર જિલ્લામાં આજે જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે જે 31મી માર્ચ સુધી પરભણીમાં રહેશે. જ્યારે બીડમાં જે લોકડાઉન આપવામાં આવ્યું છે તે 4થી એપ્રિલ સુધી લાગુ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસને જોતાં મહારાષ્ટ્રમાં તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી રહી છે તથા કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના
માર્ચ મહિનાની શરૂઆતથી જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો હતો અને તે બાદથી જ પરિસ્થિતિ ધીમે ધીમે બેકાબૂ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. દેશમાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાંથી જ સામે આવી રહ્યા છે.
કોરોના વાયરસની નવી લહેર વચ્ચે ભારતમાં મોતનો આંકડો વધી રહ્યો છે. બુધવારે જે આંકડા સામે આવ્યા છે તેમાં એક જ દિવસમાં ભારતમાં 275 લોકોના મોત થયા છે. આ આંકડો આ વર્ષનો મોતનો સૌથી મોટો આંકડો છે. આજે નવા કેસની વાત કરીએ તો એક દિવસમાં ભારતમાં 47,262 કેસ સામે આવ્યા છે.
એક વર્ષ પહેલા આજે જ લાગ્યું હતું લોકડાઉન :
23 માર્ચ 2020ના રોજ પીએમ મોદીએ ભારતમાં રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન કરી દેવાનું એલાન કર્યું હતું. રેલવે, હવાઈ જહાજ, દુકાનો, કારખાના બધુ જ એક ઝાટકે બંધ કરી દેવામાં આવ્યું હતું અને બધા જ ઘરોમાં કેદ થઈ ગયા હતા. તે સમયે દેશમાં કોરોના વાયરસના 500 કેસ હતા જે હવે 1,17,34,058 થઈ ગયા છે. આજની તારીખમાં ત્રણ લાખ 68 હજાર 457 કેસ એક્ટિવ છે જ્યારે 5 કરોડ લોકોને રસી આપી દેવામાં આવી છે.
બંગાળમાં પરિસ્થિતિ બગડી :
દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જે રાજ્યોમાં ચૂંટણી છે તેવા રાજ્યોમાં પણ હવે ટેન્શન વધી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં કેટલાય શહેરોમાં પરિસ્થિતિ ખરાબ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં સરકાર બે થી ત્રણ શહેરોમાં રવિવારે લોકડાઉન કરવાનું વિચારી રહી છે.પશ્ચિમ બંગાળમાં 19 જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે 15થી 21 માર્ચની વચ્ચે કોરોના વાયરસ સંક્રમણની દર 2.09 ટકાથી વધીને 3.04 થઈ ગઈ છે.