બુધવારે 5 ઓગસ્ટની સવાર સુધીમાં ભારતમાં કોરોના કેસ 19 લાખની પાર થઈ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 52509 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 857 દર્દીઓના મોત થયા છે. આ સાથ કોરોનાના કુલ કેસની સંખ્યા 19,08,254 થઈ ગઈ છે. 24 કલાકમાં 857 દર્દીઓના મોત બાદ દેશમાં મરનારાની સંખ્યા વધીને 39,795 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ બિમારીમાંથી અત્યાર સુધીમાં 12,82,215 લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકોમાં 51706 લોકો સાજા થયા છે.
દેશમાં રિકવરરી રેટ હાલમાં 67.19 ટકા છે
દેશમાં પોઝિટિવીટીનો રેટ 8.47 ટકા છે
24 કલાકમાં 52509 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે
દેશમાં રિકવરરી રેટ હાલમાં 67.19 ટકા છે. ત્યારે પોઝિટિવીટીનો રેટ 8.47 ટકા છે. એટલે કે દેશમાં એક દિવસમાં જેટલા પણ સેમ્પલનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે. તેમનાથી 8.47 ટકા લોકો પોઝિટિવ આવી રહ્યા છે. જો ટેસ્ટિંગની વાત કરીએ તો 4 ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ 6, 19, 652 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 2,14,84,402 સેમ્પલોનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં 2 કરોડ ટેસ્ટ થયા છે. ગત સપ્તાહમાં પોઝિટિવિટી રેટ 11 ટકા હતો અને મેમાં કુલ સંખ્યાના આધાર પર ભારતમાં પોઝિટિવિટી રેટ 8.89 ટકા હતો. 28 રાજ્યો એવા છે કે રોજના 140 મિલિયન પ્રતિદિન ટેસ્ટ કરી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 5 લાખ 86 હજાર પોઝિટિવ કેસ છે. લોકડાઉન બાદ મુત્યુદર અત્યારે સૌથી ઓછો 2.10 ટકા છે. કોવિડથી મરનારામાં 68 ટકા પુરુષો અને 32 ટકા મહિલાઓ છે.