દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થયો જઇ રહ્યો છે. તેને રોકવાના ઉદ્દેશ્યથી સોમવારથી દેશમાં લૉકડાઉનનું ત્રીજુ ચરણ લાગુ થઇ ગયું છે. જે બે સપ્તાહ સુધી રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 42,533 કેસ સામે આવી ચૂક્યા છે. આ સાથે સરકારે શ્રમિકો પાસેથી ભાડા લેવાનો વિવાદ વધતાં સ્પષ્ટતા પણ કરી હતી. જેમાં સરકારે કહ્યું હતું કે અમે શ્રમિકો પાસેથી ભાડું લેવાનું કહ્યું જ નથી.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 42,533 કેસ સામે આવી ચૂક્યા છે
જ્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 29,453 એક્ટિવ કેસ છે
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 1074 લોકો ઠીક થયા છે. આ અત્યાર સુધીમાં 24 કલાકમાં સ્વસ્થ્ય થયેલા લોકોનો સૌથી મોટો આંકડો છે.
અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 11706 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 29,453 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના વાયરસ બીમારીથી સાજા થવાનો દર (રિકવરી રેટ) વધીને 27.25 ટકા થઇ ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1373 લોકોના મોત થયા છે.
શ્રમિકો પાસે ભાડું લેવાનું કહ્યું જ નથી
દેશમાં કોરોના સંકટની વચ્ચે પ્રવાસી શ્રમિકો પાસેથ રેલભાડું લેવાની ખબરો પર રાજકીય ઘમાસાણ સર્જાયું છે. આવામાં સરકાર તરફથી સ્પષ્ટતા આવી છે. સરકારે કહ્યું કે અમે ક્યારે પ્રવાસી શ્રમિકો પાસેથી ભાડું લેવાની વાત કરી જ નથી. રેલ્વે 85 ટકા અને રાજ્ય 15 ટકા ભાડાનો ખર્ચ ભોગવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લગ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતે સ્પષ્ટતા કરી હતી.
Till now, 11,706 people have been cured. In the last 24 hours, 1074 people have been cured.This is the highest number in terms of cured patients noted till date. Our recovery rate is now 27.52%. Total number of COVID19 cases is now 42533: Lav Agrawal, Joint Secy, Health Ministry pic.twitter.com/cyf6HDy5VK
ગૃહ મંત્રાલય અનુસાર કોરોના વાયરસના સંક્રમણને જોતા દેશમાં તમામ જિલ્લાઓને રેડ, ગ્રીન, અને ઓરેન્જ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. લૉકડાઉનમાં ઢીલ આપવાની પાછળનો હેતુ વ્યાવસાયિક કાર્યોને પ્રોત્સાહન આપવુ, કારીગરોને રોજગાર ઉપલબ્ધ કરાવો અને અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાનો છે.
ગૃહ મંત્રાલયે લૉકડાઉન પાર્ટ 3 હેઠળ રેડ અને ઓરેન્જ ઝોનમાં છૂટ અને પ્રતિબંધો વિશે પણ જાણકારી અપાઇ છે.તેમના અનુસાર રેડ ઝોનમાં ઇમરજન્સી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇપણ પ્રકારની ગતિવિધિ પર રોક લાગુ રહેશે.
ગૃહ મંત્રાલયે લૉકડાઉન પાર્ટ 3 હેઠળ રેડ અને ઓરેન્જ ઝોનમાં આપવામાં આવેલી છૂટ અને પ્રતિબંધો પર પણ જાણકારી આપવામાં આવી છે. તેઓએ કહ્યું કે રેડ ઝોનમાં ઇમરજન્સી સેવા ઉપલબ્ધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇપણ પ્રકારનું કામ કરવા પર રોક લાગુ રહેશે. રેડ ઝોનમાં માત્ર જરૂરી સેવાઓ સાથે જોડાયેલી દુકાનો જ ખુલ્લી રહેશે. ઇ-કોમર્સ કંપનીઓને રેડ ઝોનમાં માત્ર જરૂરી સેવાઓ સાથે જોડાયેલા સામાનની ડિલીવરીની મંજૂરી રહેશે.
ઓરેન્જ ઝોનમાં ટેક્સીમાં એક ડ્રાઇવર અને બે મુસાફરને મંજૂરી અપાઇ છે. ટુ વ્હીલર્સ વાહનો પર બે લોકોને બેસવાની મંજૂરી રહેશે.