સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની પત્રકાર પરિષદ અનુસાર, ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 24,942 થઇ ચૂક્યા છે. તેમાંથી 18,953 એક્ટિવ કેસ છે. જ્યારે કોરોના બીમારીથી 5210 લોકો સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. જ્યારે કોરોના મહામારીથી અત્યાર સુધીમાં કુલ 779 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 24,942 થઇ ચૂક્યા છે. તેમાંથી 18,953 એક્ટિવ કેસ છે
સરકારે શનિવારે કહ્યું કે દેશમાં કોવિડ 19 કેસના ડબલ થવાની સરેરાશ દર હાલ 9.1 દિવસ છે
સરકારે શનિવારે કહ્યું કે દેશમાં કોવિડ 19 કેસના ડબલ થવાની સરેરાશ દર હાલ 9.1 દિવસ છે. જ્યારે શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી દેશમાં નવા કેસની વૃદ્ધિનો દર 6 ટકા નોંધવામાં આવ્યો છે. જે દેશના 100 કેસના આંકડાને પાર કર્યા બાદ પ્રતિદિનના આધારે સૌથી ઓછો વૃદ્ધિ દર છે.
India's total number of #Coronavirus positive cases rises to 24,942 (including 18,953 active cases, 5210 cured/discharged/migrated and 779 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/6sIlB91A2T
કેન્દ્રીય ટીમોએ અમદાવાદ, સુરતમાં કોરોનાની સ્થિતિની તપાસ કરી
ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરોમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે જાણવા માટે અલગ-અલગ કેન્દ્રીય ટીમોએ શનિવારે આ શહેરોની મુલાકાત લીધી. અધિકારીઓએ જણાવ્યું કે આ ટીમોએ અમદાવાદ અને સૂરતમાં કલેક્ટરો, સંસ્થાઓના વડા, પોલીસ કમિશનરો સહિત વરિષ્ઠ અધિકારીઓની સાથે વાતચીત કરી છે.
આ બંને આંતર મંત્રાલય કેન્દ્રીય ટીમો (IMCT) નું નેતૃત્વ અતિરિક્ત સચિવ સ્તરના અધિકારી કરી રહ્યા છે. આ મુલાકાત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ કહેવાના એક દિવસ બાદ કરાઇ છે. અમદાવાદ, સુરત, ઠાણે (મહારાષ્ટ્ર), હૈદરાબાદ (તેલંગાણા) અને ચેન્નઇ (તમિલનાડુ)માં કોરોના વાયરસની સ્થિતિ 'વિશેષ રૂપે ગંભીર છે'.
સત્તાવાર સૂત્રોએ કહ્યું, કેન્દ્રીય ટીમોએ બે હૉટસ્પોટ શહેરોમાં કોરોનાના વધતા કેસ અને લૉકડાઉનના ઉપાયોને લાગુ કરવા જેવા મુદ્દાઓ પર સ્થાનીય તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.