ગીરઃ સિંહોના મોત ક્યારે અટકશે? એક પછી એક વનરાજના મોત થઇ રહ્યા છે. ત્યારે ગીરના જંગલમાં સિંહના મોત મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે. ગીરની જસાધાર રેન્જમાં આજે વધુ બે સિંહોના મોત થયા છે. આ બન્ને સિંહોના મોત એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન થયા છે. જેને લઇને સિંહોનો મૃત્યુઆંક 23 પર પહોંચ્યો છે. આ બન્ને સિંહોના મોત પણ એનિમલ કેર સેન્ટરમાં થયા છે.
જામવાળા એનિમલકેર સેન્ટર હાઉસફૂલ થઇ ગયું છે. હાલ જામવાળા એનિમલકેર સેન્ટરમાં કુલ 27 સિંહોને રાખવામાં આવ્યા છે. જ્યાં દિલ્હીના નિષ્ણાંતોની 2 ટીમ સેન્ટર પર ખડેપગે છે. ત્યારે એનિમલ કેર સેન્ટરમાં લવાનારા અન્ય સિંહોને હવે સાસણ લઇ જવાશે.
ત્યારે અનેક સવાલો થાય છે કે શું વનરાજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ ? સિંહોના મોતની કેમ કોઈ દરકાર નહીં ? શા કારણે થઇ રહ્યા છે મોત? શું કોઈ બીમારી છે ?
જૂનાગઢના ગીર સાસણમાં વધુ બે સિંહોના મોત સાથે હવે સિંહોના મોતનો આંકડો 23 પર પહોંચ્યો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે રખાયેલ બે સિંહોના મોત થયા છે. હાલ તો શા કારણે મોત થયા છે તે અંગે કોઈ વાત કહેવા વનવિભાગ તૈયાર નથી.
ડોક્ટર અને ફોરેસ્ટના અધિકારીઓ કહી રહ્યા છે કે સિંહોના બ્લડમાં ફેલાયેલ બીમારીના કારણે મોત થયા છે. એક આખો સમૂહ આ રોગની ઝપેટમાં આવી ગયો છે. મહત્વનું છે કે અમરેલીના દલખાણીયા રેન્જમાં છેલ્લા 20 દિવસથી સિંહોના મોતનો સિલસિલો ચાલુ જ છે.