જૂનાગઢમાં રખડતા ઢોરના પ્રશ્નને ઉકેલવા સર્વ પક્ષ મેદાનમાં રખડતા ઢોરને કારણે અનેક લોકોના મૃત્યુ અને અનેક ઈજાઓ થયા છતાં નિર્ભમ તંત્ર ધોર નિંદ્રામાં
જૂનાગઢમાં રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બન્યો
સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ
સર્વ પક્ષે આંદોલનની ચીમકી ઉચ્ચારી
જૂનાગઢમાં છેલ્લા ઘણા સમય થી રખડતા ઢોર ને લઇ જનતા ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. હાલ વિદ્યાર્થીઓ ની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને બાળકોને લઇ વાહનો માં અને ચાલીને નીકળતા વાલીઓ ને ખુબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અનેક એવા કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે કે બાઈક પર જતા લોકો ને રખડતા ઢોરે પાડી દીધા.
અનેક વખત જાનહાની થઈ છે. અનેક વખત ગંભીર ઈજાઓ પણ થઈ છે પરંતુ દંભ તંત્ર ઘોર નિંદ્રા માંથી જાગતું જ નથી અધિકારીઓને માત્ર AC ઓફિસમાં અને ગાડીઓમાં ફરવા સિવાય કંઈ કામ જ નથી. સરકારી વાહનોના ધુમાડા કરી લોકોની મહેનતની કમાણીના ધુમાડા કરવા સિવાય બીજું કંઈ કામ ના હોય એવું લાગી રહ્યું છે. ત્યારે તંત્રને આ બાબતે પૂછતા માત્ર ઢોરને રાખવાની વ્યવસ્થા નથી એક જ વાત કરે છે. ત્યારે હવે સર્વ પક્ષ મેદાને ઊતર્યું છે અને વહેલી તકે જો રખડતા ઢોરો ની વ્યવસ્થા નહિ કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપી છે
જૂનાગઢ મનપા દ્વારા અગાઉ પણ પાંજરાપોળમાં ચૂકવવા ના થતા પૈસા ચૂકવાયા નથી અને આ મુદ્દા ને રાજકારણીઓ પોતાના ના રોટલા શેકવા માટે અલગ અલગ રીતે ઉછાળે છે ત્યારે ખરેખર આ એક ગંભીર મુદ્દો છે જેમાં રાજકારણ નહિ પરંતુ જૂનાગઢ ની જનતાને આ મુસીબત માંથી છુટકારો મળે તે રીતના પગલાં લેવા ખૂબ જરૂરી છે તેવું જૂનાગઢવાસીસઓનું માનવું છે
મનપા ના વિરોધ પક્ષના કોર્પોરેટર દ્વારા રખડતા ઢોર ને લઇ અનેક વખત જનરલ બોર્ડમાં વાત મૂકવામાં આવી છે પરંતુ સતાધીશોના પેટનું પાણી હલતું નથી. અવારનવાર વિરોધ પક્ષ દ્વારા રખડતા ઢોરના નિકાલ માટે ઠોસ પગલાં લેવા દલીલો કરવામાં આવી છે છતાં સતાધીશો અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લઈ શક્યા નથી જેનાથી વિરોધ પક્ષ પણ હાલ જનતાની સાથે મેદાનમાં ઊતર્યું છે
જૂનાગઢના સર્વ પક્ષના હોદેદારોએ રખડતા ઢોર ને મામલે કમિશ્નર ,કલેક્ટરથી લઇ દરેક જવાબદાર અધિકારીને રજૂઆત કરી છે ત્યારે આજ રોજ સર્વ પક્ષ દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.