અમેરિકાના ટેનેસી પ્રાન્તમાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે 25 લોકોના મોત થઇ ગયા છે અને લગભગ 35 લોકો ગુમ થયા છે. 100થી વધારે ઇમારત ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. આ કારણે લગભગ 16 કિલોમીટર સુધી કચરો ફેલાઇ ગયો છે.
અમેરિકાના ટેનેસી પ્રાન્તમાં આવેલા ભયાનક વાવાઝોડાને કારણે 25 લોકોના મોત
હાલના વર્ષોમાં ટેનેસીમાં આવેલું આ સૌથી ભયાનક વાવાઝોડુ છે
ભયાનક વાવાઝોડાને કારણે લગભગ 16 કિલોમીટર સુધી કચરો ફેલાઇ ગયો
ટેનેસીના વહીવટીય તંત્ર અનુસાર હાલના વર્ષોમાં ટેનેસીમાં આવેલું આ સૌથી ભયાનક વાવાઝોડુ છે. ટેનેસી ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે નેશવિલે શહેરમાં ભારે નુકશાન થયું છે. એરપોર્ટ પર પણ ભારે નુકશાન થયું છે.
ફાયર કર્મીઓએ વેર વિખેર થઇ ગયેલા ઘરો અને ઇમારતોના કાટમાળમાંથી ઘણા લોકોને નીકાળ્યા છે. હજુ પણ લગભગ 35 લોકો ગુમ બતાવાઇ રહ્યા છે. તેમનું લિસ્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
માત્ર નૈશવિલે શહેરમાં 40થી વધારે ઇમારત ધ્વસ્ત થઇ ગઇ છે. આ ઘરોમાંથી ગેસ ગળતરની પણ આશંકા છે. પુતનામ કાઉન્ટીના પોલીસ અધિકારીએ જણાવ્યું કે વાવાઝોડાએ કુકવિલે અને બેક્સટર શહેરની વચ્ચે ભારે કહેર વરસાવ્યો છે.
ટેનેસી ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે વાવાઝોડાને કારણે ડેવિડસન, વિલ્સન, પુતનામ અને જેક્સન કાઉન્ટીઝની 73 હજારથી વધારે ઇમારતોમાં વીજળી ચાલી ગઇ છે.
આ ઉપરાંત અહીંની વાહન વ્યવહાર સેવા, પુલો અને વીજળીના થાંભલાને નુકશાન પહોંચ્યું છે. ટેનેસીના ગવર્નર બિલ લીએ રાજ્યમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. રાજ્યપાલે કહ્યું કે ચાર શરણાર્થી કેન્દ્ર ખોલવામાં આવશે જેથી જે લોકોના ઘર ધ્વસ્ત થઇ ગયા છે તેમને નવા ઘર બનવા સુધી રાખવામાં આવે.
અમેરિકામાં 1991 અને 2015ની તુલનામાં આ વર્ષે બે ગણા વાવાઝોડા આવી ચૂક્યા છે. આ પહેલા 22 માર્ચ 1952માં ટેનેસીમાં 38 લોકો માર્યા ગયા હતા અને 05 ફેબ્રુઆરી 2008માં 22 લોકોના મોત થયા હતા. હવામાનની જાણકારી આપનારી સંસ્થા એક્યૂવેધર મુજબ આ વર્ષે અમેરિકામાં વાવાઝોડાની સંખ્યા અસામાન્ય રૂપે વધી છે. આ વખતે 141 વાવાઝોડા આવ્યા. જે પહેલાની તુલનામાં બેગણી છે.
અમેરિકી રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ વાવાઝોડાથી થયેલા નુકશાન વિશે જાણકારી મેળવવા માટે રાજ્યનો પ્રવાસ કરશે. અસરગ્રસ્ત વિસ્તારોની બિન જરૂરી સાર્વજનિક ઇમારતો અને ઘણી સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે.