સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને લઈ ભારત સરકાર કલક વલણ અપનાવી રહી છે. સમાચાર એ છે કે આદેશોનું પાલન ન કરવાની સ્થિતિમાં ટ્વિટરના કેટલાક ટોપ અધિકારીઓની ધરપકડ પણ કરી શકાય છે. સરકારે કંપનીને ‘ઉશ્કેરણીજનક કન્ટેન્ટ’ વાળા અકાઉન્ટ્સને સેન્સર કરવાની માંગ કરી હતી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એવા અકાઉન્ટની વિરુદ્ધ કાર્યવાહી કોઈ પણ પ્રકારની સમજૂતી નથી થઈ શકે.
કંપનીએ સ્થાનીય કાયદાના પાલન કરવાનું રહેશે- સરકાર
ટ્વિટર આ મામલાને કોર્ટમાં લઈ જવાનો વિચાર કરી રહ્યું છે
ભારતના સંવિધાન અને કાયદાના સર્વોચ્ચ છે- સરકાર
કંપનીએ સ્થાનીય કાયદાના પાલન કરવાનું રહેશે- સરકાર
અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર સરકારનું કહેવું છે કે આ મામલામાં ધીરજ ખૂટી ગઈ છે. ભારતે ગત બુધવારે ટ્વિટરને કન્ટેન્ટ હટાવવાના સંબંધમાં ફટકાર લગાવી હતી. સરકારે આ સ્પષ્ટ કરી દીધુ હતું કે કંપનીએ સ્થાનીય કાયદાના પાલન કરવાનું રહેશે. ત્યારે અનેક સાંસદોએ પોતાના સ્વદેશી એપ કૂ (Koo)ના ઉપયોગ માટે અપીલ કરી છે.
ટ્વિટર આ મામલાને કોર્ટમાં લઈ જવાનો વિચાર કરી રહ્યું છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટર આ મામલાને કોર્ટમાં લઈ જવાનો વિચાર કરી રહ્યું છે. કંપનીએ આ માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સંદર્ભ આપ્યો છે. કંપનીએ આંશિક રુપથી આદેશ માનતા સરકાર તરફથી જણાવવામાં આવેલા લગભગ અડધા અકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના સચિવ ગ્લોબલ પબ્લિક પોલિસી ટ્વિટરના વાઈસ પ્રેસિડેન્ટ મોનીસ મેસ અને ડેપ્યુટી જનરલ કાઉન્સેલ અને વાઈસ પ્રેસિડેન્ટ લીગલ જિમ બેકરની સાથે વર્ચૂઅલ રીતે બેઠક કરી હતી.
ભારતના સંવિધાન અને કાયદાના સર્વોચ્ચ છે
આ બેઠક બાદ મંત્રાલય તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે જે રીતે ટ્વિટરે અનિચ્છા, અજાણ્યા અને વિલંબ સાથે આદેશના ખાસ ભાગોનું પાલન કરવાના મામલામાં સચિવે ટ્વિટર નેતૃત્વને લઈ ઘણી નિરાશા વ્યક્ત કરી છે. તેમણે આ પ્રસંગે ટ્વિટરને એમ પણ યાદ અપાવ્યું છે કે ભારતના સંવિધાન અને કાયદાના સર્વોચ્ચ છે. એ આશા વ્યક્ત કરી કે જવાબદાર સંસ્થાઓ ન ફક્ત એ વાતની પુષ્ટિ કરશે બલ્કે અહીંના કાયદાનું પાલન પણ કરશે.
ટ્વિટરે 500 અકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો
ઉલ્લેખનીય છે કે ટ્વિટરને ભારત સરકારના આદેશ હેઠળ કેટલાક એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ આઈટી મિનિસ્ટ્રીએ સ્પષ્ટ રીતે 257 ટ્વિટર હેન્ડલને હટાવવાની વાત કહી છે. સરકારે 1178 એકાઉન્ટ હટાવવા આદેશ કર્યો હતો. જેની સામે 500 એકાઉન્ટ જ હટાવાયા છે. ભારત સરકારે ટ્વિટરના અધિકારીઓને બોલાવીને કેટલાક સવાલ પૂછ્યા છે. સરકારે ટ્વિટરથી 1178 હેન્ડલ્સને હટાવવા માટે કહ્યું હતું. જોકે આજે ટ્વિટરે જણાવ્યું કે, 500થી વધુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયા છે. નોંધનીય છે કે માઇક્રોબ્લૉગિંગ સાઇટે બુધવારે એક બ્લૉગ પોસ્ટમાં કહ્યું કે, નાગરિક સમાજના કાર્યકર્તાઓ, રાજકીય વિશેષજ્ઞો અને મીડિયાના ટ્વિટર હેન્ડલને બ્લૉક નથી કરાયા કારણ કે એવું કરવાથી અભિવ્યક્તિની આઝાદીના મૂળ અધિકારોનું ઉલ્લંઘન થશે.