ભારતના પ્રસિદ્ધ ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ શેખર બાસુનું કોરોનાથી નિધન થઈ ગયું છે કોલકત્તાના એક હોસ્પિટલમાં તે દાખલ હતા. શેખર બસુ એટોમિક એનર્જી કમિશન(એઈસી)ના પૂર્વ ચેરમેન, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના નિર્દેશક અને એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટના સચિવ રહી ચૂક્યા છે. 3 દિવસ પહેલા તેઓ 68 વર્ષના થયા હતા. પોતાના જન્મદિવસ પર તેઓ હોસ્પિટલમાં હતા. 20 સપ્ટેમ્બર 1952માં તેમનો જન્મ થયો હતો.
3 દિવસ પહેલા તેઓ 68 વર્ષના થયા હતા
તેમનું ઓક્સિજન લેવલ ડાઉન હતુ અને પછી કિડની કામ કરવાની બંધ થઈ ગઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક પ્રતિષ્ઠિત લોકોએ શેખર બાસુના નિધન પર શોક વ્યક્ત કર્યો. શેખર બાસુ 15 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં લવાયા હતા. તેમનું ઓક્સિજન લેવલ ડાઉન હતુ અને પછી કિડની કામ કરવાની બંધ થઈ ગઈ હતી.
મિકેનિકલ એન્જિનિયર ડૉ. બાસુ દેશના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં યોગદાન માટે ઓળખવામાં આવે છે. તેમને 2014 પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતની પરમાણુ ઉર્જા સંચાલિત પહેલી સબમરિન અરિહંત માટે બહું જટિલ રિએક્ટરના નિર્માણમાં બાસુએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
બસુ તારાપુર અને કલપક્કમમાં બનેલા ન્યૂક્લિયર રિસાઈકલ પ્લાન્ટની ડિઝાઈન, ડેવલપમેન્ટ, નિર્માણ અને તેના સંચાલન સાથે જોડાયેલા હતા. તેમણે ન્યૂક્લિયર સબમરીન રિએક્ટર અને ન્યૂક્લિયર રિસાયક્લિંગ પ્રોગ્રામની દિશામાં ખૂબ સારુ કામ કર્યુ છે. તેમના યોગદાનને કારણે દેશ આ ફિલ્ડમાં આગળ છે.
રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી કહ્યું પદ્મશ્રી ડૉ. શેખર બાસુના નિધનથી રાષ્ટ્રને મોટી ખોટ પડી છે. પીએમએ કહ્યું કે વિખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક શેખર બાસુના નિધન પર શોકની આ ઘડીમાં હું પરમાણું ઉર્જા પરિવારની સાથે છું. તેમણે પરમાણું વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ભારતને અગ્રણી દેશોમાં સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મારી સંવેદનાઓ તેમના પરિવાર અને તેમના મિત્રો સાથે છે ઓમ શાંતિ.’