જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફને ઠાર માર્યો છે. આસિફે સોપોરમાં એક ફળ વિક્રેતાના ઘર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં આ ફાયરિંગમાં ઘરના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા, જેમાં 30 મહીનાની બાળકીનો પણ સામેલ હતી.
પોલીસ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે આતંકવાદની એક ક્રૂર ઘટનામાં આતંકવાદીઓએ સોપોરના ડંગરપોરમાં એક બાળકી સહિત ચાર લોકો પર ફાયરિંગ કર્યું, જેમાં બધા લોકો ઘાયલ થયા હતા.
ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. તેઓ હાલત અત્યંત ગંભીર છે.
J&K DGP, Dilbag Singh: All 10 districts of Jammu have become entirely normal, all school, colleges, & offices are open. Leh & Kargil are also normal, there is no restriction of any kind there. More than 90% areas are free of restrictions, 100% telephone exchanges are working now. pic.twitter.com/7jI0ps2Nd7
જમ્મૂ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું કે આસિફ ફળના વેપારીઓને ધમકી આપતો હતો. ડીજીપીના જણાવ્યા અનુસારા સોપોરમાં આસિફે ઘણો આતંક મચાવી રાખ્યો હતો. છેલ્લા એક મહિનાથી આતંકી આસિફ આ વિસ્તારમાં ઘણો સક્રિય હતો.
જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ બુધવારે એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષાદળોએ આજે સવારે આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
Jammu & Kashmir: The LeT terrorist Asif was responsible for recent shootout and injuries to three family members of a fruit trader in Sopore. The injured also included a young girl Asma Jan. He was also responsible for shooting at a migrant labour Shafi Alam in Sopore https://t.co/6r8r7RuvJE
આ દરમિયાન લશ્કર-એ-તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફને ઠાર માર્યો હતો. જો કે આસિફ દ્વારે સેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં ફળ વિક્રેતા પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા.
ભારતીય સેના દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવામાં આવી રહ્યું છે. જેમાં આ વર્ષના આઠ મહિનામાં ભારતીય સેનાએ 139 આતંકીઓને ઠાર માર્યા છે. આ સંખ્યામાં સરહદ નજીકની સાથે-સાથે રાજ્યના અંદરના વિસ્તારોમાં થયેલી અથડામણની સંખ્યા પણ સામેલ છે.