કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલમાં જૈશનો ટોચનો કમાન્ડર શામ સોફી છુપાયો હોવાની ખબર મળતા સુરક્ષા દળો સાબદા થયા હતા અને ઘેરાબંધીમાં ફસાવીને આતંકી સોફીને સ્વધામ પહોંચાડ્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં બે દિવસ અગાઉ સેનાના 5 જવાનો શહિદ થયા હતા ત્યારબાદ હવે સેના કાશ્મીરમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે સેના દ્વારા અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મહોમ્મદના ટોપ કમાન્ડર શામ સોફીને ઠાર કરવામાં આવ્યો છે. જેથી કહી શકાય કે જૈશના ટોપ કમાન્ડરને ઠાર કરીને સેનાને મોટી સફળતા હાથ લાગી છે.