દેશભરમાં માતા લક્ષ્મીના ઘણા પ્રાચીન મંદિરો છે. જ્યાં એકવાર તમે દર્શન કરશો તો તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને ઘરમાં ધનના આવવાના નવા રસ્તા ઉભા થાય છે.
દેશભરમાં છે માતા લક્ષ્મીના પ્રાચીન મંદિરો
દર્શન માત્રથી દૂર થશે આર્થિક સમસ્યા
ધન આવવાના નવા રસ્તાઓ ઉભા થશે
હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધન અને સુખની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જેની પાસે માતાના આશીર્વાદ હોય છે તેમની સમૃદ્ધિને કોઈ રોકી શકતું નથી. એવી ઘણી ધાર્મિક માન્યતાઓ છે જેના અનુસાર જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની આર્થિક તંગી હોય તો માતા લક્ષ્મીના મંદિરના દર્શન કર્યા પછી તમે પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. અહીં અમે તમને માતા લક્ષ્મીના કેટલાક પ્રાચીન મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં જવાથી તમારી ધન સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે.
પદ્માવતી મંદિર
તમે તિરુપતિ બાલાજી મંદિરનું નામ તો સાંભળ્યું જ હશે. અહીંથી થોડે દૂર તિરુચુરા નામના નાના ગામમાં દેવી પદ્માવતીનું ખૂબ જ સુંદર મંદિર છે. માતા લક્ષ્મીનું આ મંદિર 'અલમેલમંગાપુરમ' તરીકે પણ ઓળખાય છે.
ધાર્મિક માન્યતા છે કે તિરુપતિ બાલાજી મંદિરમાં માંગવામાં આવેલી મનોકામનાઓ ત્યાં સુધી પૂર્ણ નથી થતી જ્યાં સુધી ભક્તો અહીં દર્શન કરવા માટે ન આવે.
દક્ષિણ ભારતનું સ્વર્ણ મંદિર
કેરળ તેની સુંદરતા માટે જાણીતું છે. અહીં એકથી એક સુંદર હિન્દુ મંદિરો છે. કેરળના તિરુવનંતપુરમમાં આવેલ ભગવાન વિષ્ણુનું મંદિર દેશભરમાં પ્રખ્યાત છે. આ પ્રસિદ્ધ મંદિર 'પદ્મનાભસ્વામી'ના નામથી ઓળખાય છે.
એવું માનવામાં આવે છે કે અહીંયા દર્શન કર્યા પછી ભક્તોને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે આ મંદિર એટલું જૂનું છે કે 9મી સદીના ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મુંબઈનું મહાલક્ષ્મી મંદિર
મુંબઈના મહાલક્ષ્મી મંદિર વિશે એવું કહેવાય છે કે તે અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવ્યું હતું. અહીં ત્રણ દેવીની પૂજા થાય છે. મંદિરના ગર્ભગૃહમાં ત્રણ દેવી મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીની મૂર્તિઓ એકસાથે બિરાજમાન છે. આ મંદિર વિશે કહેવાય છે કે તેને રામજી શિવાજી નામના ઠેકેદારે બનાવ્યું હતું.