બ્રિટનની સૌથી પ્રસિદ્ધ જ્યોતિષીએ કોરોનાને લઈને એક વર્ષ પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી. તેઓએ તેને માટે મહત્વપૂર્ણ તારીખ પણ જાહેર કરી હતી. હવે 56 વર્ષની જ્યોતિષી જેસિકા એેડમ્સે કહ્યું કે કોરોના મહામારી 2026માં ખતમ થશે. તેઓએ એમ પણ કહ્યું છે કે બ્રિટનમાં આવતા વર્ષે કોરોના ખતમ થઈ જશે. આશ્ચર્યની વાત તો એ છે કે જેસિકાએ આ આગાહી 1 વર્ષ પહેલાં જ કરી હતી. એટલું જ નહીં આ મહામારીના આધારે તેઓએ પોતાની લાઈફ પણ બદલી લીધી હતી.
બ્રિટનની જ્યોતિષીએ કરી આગાહી
કોરોના વાયરસનું ચક્ર 2026માં થશે ખતમ
એક વર્ષ પહેલાં જ કરી હતી આ આગાહી
એક રિપોર્ટ અનુસાર જ્યોતિષી જેસિકા એડમ્સનું કહેવું છે કે બ્રિટનમાં કોરોના આવતા વર્ષે ખતમ થઈ જશે. મહામારીની આગાહી એક વર્ષ પહેલાં કર્યા બાદ તેઓએ પોતાની લાઈફમાં અનેક ફેરફાર કરવાના શરૂ કર્યા. તેઓએ પોતાના કામના સમયને ઘટાડીને અડધો કરી દીધો હતો. આવનારા પ્રોગ્રામ્સ પણ કેન્સલ કરી દીધા હતા. માર્ચમાં એક ખાસ દોસ્ત માટે ડિનર પાર્ટીની જાહેરાત કરી હતી તેને પણ કેન્સલ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે જેસિકાએ લંડનનું ઘર છોડી દીધું છે અને તે તસ્માનિયામાં રહેવા ગઈ છે. ત્યાં તે એકલી રહે છે. તેની સાથે 2 શ્વાન અને એક મરઘી રહે છે.
10 જાન્યુઆરી 2020નો દિવસ મહત્વનો હશે
કોરોના મહામારી શરૂ થયાના 1 વર્ષ પહેલાં જ જેસિકાએ એમ પણ કહ્યું કે 10 જાન્યુઆરી 2020ની તારીખ ખાસ હશે. આ દિવસે કોરોનાના પહેલા મોતની ખબર આવી હતી. જો કે જેસિકાએ મહામારીની ભવિશ્યવાણી કરી હતી ત્યારે અનેક લોકોએ તેની પર ધ્યાન આપ્યું નહીં. જેસિકાએ એમ પણ કહ્યું છે કે આ વર્ષે ક્રિસમસ ના 4 દિવસ પહેલાં ચીજો બદલાઈ જશે. યુધ્ધ વિના જ વિશ્વયુદ્ધની સ્થિતિ જોવા મળશે. ઐતિહાસિક ચક્ર બેવડાઈ રહ્યું છે અને આપણે વચ્ચે પીસાઈ રહ્યા છીએ. આ 2026માં ખતમ ખશે. તેઓએ કહ્યું કે સંપૂર્ણ પરિવર્તન આવવા જઈ રહ્યું છે. બધું બદલાઈ જશે.