ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 36,796 નવા કેસ નોંધાયા છે. ત્યારે 664 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ બાબતો વચ્ચે ભારતમાં કોરોનાના દર્દીઓની રાતે 9 વાગે પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે કુલ દર્દીઓનો આંકડો 11,91,709 થયો છે. જેમાં 7,52,187 દર્દીઓ કોરોનાની સારવાર લઇને સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
દેશમાં કોરોના બન્યો બેકાબૂ
છેલ્લા 24 કલાકમાં 5 રાજ્યોમાં કોરોનાને કારણે થયાં સૌથી વધુ મોત
આ સિવાય અત્યાર સુધીમાં 28,763 લોકોના કોરોનાને કારણે મોત થયાં છે. જો કે, પોઝિટિવ રેટમાં વધારો થયો હોવાથી તે સ્થિતિ વધુને વધુ ચિંતાજનક બની રહી છે. હાલ કોરોનાનો દર 11.14 ટકા છે જો કે તેની સામે દર્દીઓનો સાજા થવાનો રેટ 62.72 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં આ 5 રાજ્યમાં સૌથી વધુ થયાં કોરોનાને લીધે મોત
આપને જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 246,તમિલનાડુમાં 75, આંધ્ર પ્રદેશમાં 62, કર્ણાટકમાં 61, અને ઉત્તર પ્રદેશમાં 37 લોકોના મોત થયાં છે. આમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાને કારણે મોતના આંકડા નોંધાયા છે.
ગુજરાતમાં અનલૉક બાદ પ્રથમ વખત નોંધાયા 1 હજારથી વધુ કેસ
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 1026 કેસ નોંધાતા કુલ આંકડો 50,465 પર પહોંચ્યો છે. જ્યારે 744 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 33,403 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 34 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2,001 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
પ્રથમ વખત નોંધાયા 1 હજારથી વધુ
રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇથી શરૂ કરીને આજે 20 જુલાઇ દરમિયાન 900 જેટલા કેસ નોંધાયા હતા તો આજે 21 જુલાઇના રોજ પ્રથમ વખત 1 હજારથી વધુ કેસ નોંધાયા છે.
હાલ શું છે સુરતમાં કોરોનાની સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 298 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 225 અને સુરત જિલ્લામાં 73 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 10,276 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 173 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 7,063 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 21 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 292 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2920 એક્ટિવ કેસ છે.