મોટાભાગના ઘરમાં હોય છે કે એક વખતમાં જો ખાવાનું વધુ બની ગયુ છે તો તેને ફરીથી ગરમ કરીને ખાઈ શકો છો. શિયાળાની સિઝનમાં મોટાભાગે આવુ થાય છે. કારણકે આ સિઝનમાં ભોજન જલ્દી બગડતુ નથી. જેના કારણે મોટાભાગના લોકો પુષ્કળ માત્રામાં ખાવાનુ બનાવી નાખે છે, જે આખો દિવસ સરળતાથી ચાલે.
જો ભોજન વારંવાર ગરમ કરતા હોય તો બંધ કરી દેજો
વારંવાર ગરમ કરેલુ ભોજન તમને મુશ્કેલીમાં નાખશે
બટાકાના શાકને વારંવાર ગરમ ના કરવુ જોઈએ
પછી જ્યારે કોઈને આ ખાવાનુ ખાવુ હોય તો તે ફટાફટ ગરમ કરી નાખે છે. જો તમે પણ આવુ કરો છો તો ચેતી જજો. કારણકે કેટલીક વસ્તુ એવી છે, જેને વારંવાર ગરમ કરવી આરોગ્ય માટે હાનિકારક છે.
બટાકા
બટાકાનો ઉપયોગ અલગ-અલગ પ્રકારની રેસિપી બનાવવામાં કરાય છે. આ એવી શાકભાજી છે, જેને દરેક વ્યક્તિ ખાવાનુ પસંદ કરે છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે બટાકાના શાકને વારંવાર ગરમ ના કરવુ જોઈએ. કારણકે બટાકાને રાખવાથી તેમાં બોટુલિઝ્મ નામના બેકટેરીયા ઉત્પન્ન થાય છે. એવામાં જ્યારે તમે બટાકાને ગરમ કરો છો તો આ બેકટેરીયા વધુ વિકાસ પામે છે. જેના કારણે આ શાકભાજીનું સેવન કરવાથી તમને ફૂડ પૉઈઝનિંગની સમસ્યા થઇ શકે છે.
મશરૂમ
મશરૂમ આરોગ્ય માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે. પ્રોટીનથી ભરપૂર મશરૂમને પણ વારંવાર ગરમ ના કરવા જોઈએ. જેનાથી મશરૂમમાં જે પ્રોટીન હોય છે, જે એન્ઝાઈમ અને બેકટેરીયા દ્વારા ક્ષતિગ્રસ્ત થાય છે. જેના કારણે તમને પેટમાં દુ:ખાવો થઇ શકે છે.
ઈંડા
એફડીએ મુજબ, ઈંડા અથવા તેમાંથી બનેલી રેસિપીને ફરી વખત ગરમ ના કરવી જોઈએ. કારણકે તેનાથી સાલ્મોનેલા નામના બેકટેરીયા ફેલાઈ જાય છે. જેનાથી તમારું ભોજન ઝેરી થઇ જાય છે.
પાલક
ઘણી વખત પાલકની ભાજીને ગરમ કરે છે. પરંતુ અહીં જણાવવાનું કે આમ કરવુ આરોગ્ય માટે નુકસાનકારક છે. કારણકે પાલકમાં નાઈટ્રેટ મળે છે. જેને ફરીથી ગરમ કરીને નાઇટ્રેટ્સ અને નાઇટ્રોસામાઇનમાં બદલી શકાય છે. કેટલાંક નાઇટ્રોસામાઇન કાર્સિનોજેનિક હોય છે અને શરીરની ઓક્સિજન લઇ જવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.